Site icon Gujarat Mirror

ઇઝરાયેલના હુમલામાં પાંચ પત્રકારોનાં મોત

અલ જઝીરાના પત્રકારોને આતંકી ગણાવતું ઇઝરાયેલી સૈન્ય

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ગાઝા પર સંપૂર્ણ કબજો કરવાની યોજના વચ્ચે, ઇઝરાયલી સુરક્ષા દળો ત્યાં ઝડપી હુમલા કરી રહ્યા છે. આ હુમલાઓમાં ઓછામાં ઓછા પાંચ અલ જઝીરા પત્રકારો માર્યા ગયા છે. અલ જઝીરાના અહેવાલ મુજબ, ગાઝા શહેરમાં અલ-શિફા હોસ્પિટલના મુખ્ય દરવાજાની બહાર પ્રેસ માટેના તંબુને નિશાન બનાવતા ઇઝરાયલી હુમલામાં માર્યા ગયેલા સાત લોકોમાં પાંચ પત્રકારોનો સમાવેશ થાય છે. અહેવાલમાં જણાવાયું છે કે પીડિતોમાં અલ જઝીરાના સંવાદદાતા અનસ અલ-શરીફ અને મોહમ્મદ કારિકેહ, તેમજ કેમેરામેન ઇબ્રાહિમ ઝહીર, મોમેન અલીવા અને મોહમ્મદ નૌફલનો સમાવેશ થાય છે.

હુમલા પછી તરત જ, ઇઝરાયેલી સૈન્યએ એક નિવેદનમાં અલ જઝીરાના સંવાદદાતા અનસ અલ-શરીફને નિશાન બનાવ્યાની કબૂલાત કરી, તેમને આતંકવાદી ગણાવ્યા અને કહ્યું કે તેઓ હમાસમાં આતંકવાદી સેલના વડા તરીકે સેવા આપી ચૂક્યા છે.

Exit mobile version