Site icon Gujarat Mirror

મોરબી નજીક પોલીસની 112 વાને રિક્ષાને ઠોકર મારતા પાંચને ઈજા

વાહનચાલક નશાની હાલતમાં હોવાનું બહાર આવતાં ફરિયાદ નોંધાઈ

મોરબીના ધરમપુર રોડ ઉપર લાભનગર પહેલા વાઘાણી પરિવારના ખોડીયાર માતાજીના મઢ પહેલા આવેલ રોડની ગોળાઈ ઉપર 112 જન રક્ષક પોલીસ વાનના ચાલકે બેફિકરાઈથી ચલાવી સી.એન.જી. રીક્ષા અને ઈકો સ્પોર્ટ કાર સાથે અથડાવતા પાંચ જેટલા લોકોને ઇજા પહોંચી હતી જેથી આ બનાવ અંગે આરોપી 112 જન રક્ષક પોલીસ વાનના ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ વેજીટેબલ રોડ પર લાભનગર પહેલા દશામાના મંદિરની પાછળ રહેતા જગદીશભાઈ બાબુભાઈ અગેચણીયાએ આરોપી 112 જન રક્ષક પોલીસ વાનના ચાલક વિરુધ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાની બજાજ મક્ષીમાં સી. એન. જી. રીક્ષા રજીસ્ટર નં GJ-36-W- 4462 વાળી ચલાવી ફરીયાદીની દિકરીઓ તથા ફરીયાદીના લતાના દિકરા દિકરીઓને કારખાનેથી લઈ ઘરે પરત આવતો હતો તે દરમ્યા ન મોરબીના ધરમપુર રોડ લાભ નગર પહેલા વાઘાણી પરીવારના ખોડીયાર માતાના મઢ પહેલા આવેલ રોડની ગોળાઈ ઉપર પહોંચતા રાત્રીના આસરે સાડા આઠેક વાગ્યાના સમયે ફરીયાદીની સામેથી આવતી 112 જન રક્ષક પોલીસ વાનના ચાલકે પોતાના હવાલા વાળી રજી નં-GJ-36-G-0193 ચળી ફુલ સ્પીડમાં અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીની રીક્ષાને ટકકર મારી પાછળ આવતી ઇકો સ્પોર્ટ GJ-36-JR- 7676 વાળી ને ટકકર મારી ફરીયાદીને શરીરે નાની મોટી ઈજાઓ તથા ફરીયાદીની દીકરી જયશ્રી તથા મિતલને જમણા પગે ફેકચર જેવી ગંભીર ઈજાઓ કરી તથા પારૂૂબેન તથા સોનુભાઈ યાદવને શરીરે ઇજા પહોંચી હતી જેથી બનાવ સ્થળે લોકો એકત્ર થતા 108 ને કોલ કરતા 108 દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ તેમજ પોલીસ જન રક્ષક વાનના ચાલક નીચે ઉતરતા નશાની હાલતમાં લાગતા હોય જેથી આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Exit mobile version