Site icon Gujarat Mirror

સોમનાથ કાર્તિક મેળાની બહાર નીકળવાના રસ્તે કચરાના ઢગલામાં લાગી આગ

સોમનાથ ખાતે પાંચ દિવસ ના કાર્તિકી પૂર્ણિમા ના મેળા નુ સાજ ના પાંચ કલાકે ઉદધાટન થયેલ બાદ સાજ ના સમયે મેળા ના ગ્રાઉન્ડ મા કાજલી તરફ બહાર નીકળવા ના રસ્તા ઉપર કચરા પડેલ હોવાથી તેમા આગ લાગેલ હતી અને આ બાબત ની જાણ સોમનાથ ટ્રસ્ટ ને થતાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સાંજના 7 ,10 કલાકે ફાયરબ્રિગેડ ને જાણ કરતા ફાયરબ્રિગેડ મીની બંબા સાથે ધટના સ્થળે પહોંચી ફાયરબ્રિગેડ ના નરેન્દ્રસિંહ,ફાયરમેન ગોહિલ જીતેન્દ્રસિંહ,ડાભી મયંક સહિત ના સ્ટાફ દ્વારા આ કચરા મા લાગેલ આગ ને કાબુમાં લેવામાં આવેલ અને મોટી દુર્ઘટના બનતી અટકાવી કારણ કે મેળા ના ગ્રાઉન્ડ મા 200 થી વધુ દુકાનો 50 થી વધુ રાઇડર્સ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા જેથી મોટી દુર્ઘટના બનતી અટકી હતી.

Exit mobile version