Site icon Gujarat Mirror

વીજળી પડવાથી મૃત્યુ પામેલ ઘેટા બકરાના માલધારીને આર્થિક સહાય

તા.20/06/2025નાં રોજ વાજડી-વિરડા ગામે કાનાભાઇ હીરાભાઇ લાંબડીયાનાં પશુધન ઘેંટા બકરા કુલ-12 પશુનું તા.16/05/2025 નાં રોજ આકાશી વીજળી પડવાથી મૃત્યુ થવાથી પશુધનનું નુકશાન થયેલ છે.

કાનાભાઇ હીરાભાઇને આવી કપરી પરિસ્થિતીમાં સહાયરૂૂપ થવા માટે સરકાર દ્વારા રૂૂ.48 .000 /- ની સહાય આજ રોજ તાલુકા વિકાસ અધિકારી વનરાજસિંહ પી.ચૌહાણ તથા રાજાભાઇ ચાવડા,જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધી, ચેતનભાઇ કથીરીયા, તાલુકા પંચાયત, રાજકોટ પ્રમુખ, વિપુલભાઇ બસીયા,તાલુકા ભાજપ મહામંત્રી, કેયુરભાઇ ઢોલરીયા, વિક્રમભાઇ હુંબલ, દિલીપભાઇ હુંબલ, ડાયાભાઇ ભરવાડ,તલાટી-કમ-મંત્રી અને અનિલભાઇ લાંબડીયા વિગેરે પદાધિકારીઓ/અધિકારીઓની ઉપસ્થીતિમાં સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો.

Exit mobile version