શહેરના રેલવે સ્ટેશન પાસેથી બિમારી સબબ મળેલા અજાણયા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. જેથી મૃતકની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ રેલવે સ્ટેશન પાસેથી કનકભાઇ મનાભાઇ નામના વૃદ્ધનું બિમારી સબબ પડેલા હોય જેમને ગત તા.19/4ના સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. આ અંગે પ્રનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતકના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

