જામનગરવાસીઓને શ્રાવણ માસમાં વિમાની સેવાની ભેટ મળી છે. જેમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા શિડ્યુલ મુજબ અમદાવાદથી જામનગર અને જામનગરથી અમદાવાદ તે જ રીતે જામનગરથી સુરત અને સુરતથી જામનગર એમ બે નવી ફ્લાઇટ જામનગરવાસીઓને પ્રાપ્ત થશે. આ બન્ને ફ્લાઇટનો આગામી તા.23 ઓગષ્ટ 2025 થી પ્રારંભ થશે.
જાણવા મળતી માહિતી મુજબ એરપોર્ટ ઓથોરિટી દ્વારા જે શેડ્યુલ જાહેર કરાયું છે. તેમાં સ્ટારએરની ઇએમબી-145 નંબરની વિમાની સેવા 50 ની ક્ષમતાવાળી કાર્યરત કરાશે. જેમાં અમદાવાદથી જામનગર સવારે 8:15 કલાકેથી નિકળીને 9:05 કલાકે જામનગર પહોંચશે. જામનગરથી સુરત માટેની ફ્લાઇટ સવારે 9:30 કલાકે ઉપડીને 10:20 કલાકે સુરત પહોંચશે.
સુરતથી બપોરે 1:35 કલાકે ઉપડીને 14:25 કલાકે જામનગર પહોંચશે. જામનગરથી 14:50 મિનિટે ઉપડીને અમદાવાદ 15:40 મિનિટે પહોંચશે.

