Site icon Gujarat Mirror

ભાવનગરના બોરતળાવમાંથી મૃતદેહ મળી આવ્યો

ભાવનગરના બોરતળાવમાંથી ચિત્રા વિસ્તારમાં રહેતા આધેડનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના બોરતળાવ,થાપનાથ મહાદેવ નજીક પાણીમાં આધેડનો મૃતદેહ તરતો હોવાની જાણ થતા ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને આધેડના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડયો. હતો.આ મૃતદેહ ચિત્રા વિસ્તારમાં રહેતા દિલીપભાઈ બાબુભાઈ રાહાણી ( ઉં. વ. 55 ) નો હોવાનું ખુલ્યું છે.આ અંગે બોરતળાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version