Site icon Gujarat Mirror

જેતપુરમાં હનુમાનજી પ્રગટ્યાની વાત ફેેલાતા ટોળા ઉમટયા

જેતપુરમાં ખાખામઢી હનુમાન મંદિરના આસોપાલવ વૃક્ષમાં હનુમાનજી પ્રગટયાની વાત ફેલાતા મોડી રાત્રે દર્શન માટે ભકતો ટોળે વળ્યા હતા. વાયુવેગે શહેરમાં વાત ફેલાતાં લોકો મોટી સંખ્યામાં દિવ્ય પ્રતિકૃતિની વાતથી દર્શન માટે મોડી રાત્રે ભકતો ઉમટી પડ્યા જય હનુમાનજી મહારાજ. જયશ્રી રામના નારા લગાવ્યા હતા. ભકતોમાં શ્રદ્ધા અને આશ્ચર્ય અને ચમત્કાર સર્જાયો છે જેતપુરમાં આવેલ ખુબજ જુનું અને પ્રખ્યાત ખાખામઢી હનુમાનજી મંદિરમાં આવેલું આસોપાલવ વૃક્ષમાં મોડી રાત્રે હનુમાન મહારાજ દેખાવ દેતા જે વાત વાયુ વડે શહેરમાં વાત ફેલાઈ ગઈ અને ભકતો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડયા હતા.

Exit mobile version