સૌ.યુનિ.માં વીસીની ચેમ્બરનો ઘેરાવ કરી ગજઞઈંનો વિરોધ: 20ની અટકાયત
તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચડીમાં તોતીંગ ફિ વધારો ઝિંકવામાં આવ્યો છે. જેના વિરોધમાં એનએસયુઆઇ દ્વારા કુલપતિની ચેમ્બરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને ટેબલ પર નકલી નોટો ફેંકવામાં આવી હતી. ચેમ્બરમાં રામધુન બોલાવતા પોલીસ દ્વારા એનએસયુઆઇના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહીત 20 જેટલા છાત્ર નેતાઓની ટીંગાટોળી કરી અને અટકાયત કરવામાં આવી હતી.
આ અંગે કુલપતિને રજુઆત કરતા છાત્ર નેતાઓએ કહ્યું હતું કે સરકાર દ્વારા સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એક્ટ લગાવવામાં આવ્યો કોમન એક્ટ મતલબ એક સમાન ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડીમાં એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની હોય છતાં એની ફી 1000 અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેલતો જે જૂના વિદ્યાર્થીઓ દ્વારા આગલા વર્ષ એન્ટ્રન્સ પાસ કરી પણ ગાઈડના અભાવે એડમિશન ના મળ્યું જ્યારે આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ જ કાઢી નાખવા માં આવી એટલે કે ગુજરાત યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ લેવાતી હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ ના લઈ શકે તે અમારો એક સવાલ છે. એમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 500માં થી સિદ્ધિજ 1500 જેટલી ફી વધારો કરી દેવામાં આવ્યો તે તે વિદ્યાર્થીઓ જોડે ખૂબ જ અન્યાય કરવાની વાત છે એક યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ લેતી હોય તો તેની 1000 ફી છે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એન્ટ્રન્સ ના લઈને 1500 રૂૂપિયા જેવી તોતિંન ફીના ઉઘરાણા કરે છે તેનો એનએસયુઆઇ વિરોધ કરે છે આ ફી વધારા પાછો ખેંચવો જોઈએ અને પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ લેવાવી જોઇએ એ આમરી માંગ છે.

