Site icon Gujarat Mirror

સુરતથી કમ્બોડિયા, માન્ચેસ્ટર, ગુઆંગઝુની કનેક્ટિંગ ફલાઇટ શરૂ

સુરતથી દિલ્લી વાયા એક જ PNR કનેક્ટિંગ ફ્લાઈટ્સ શરૂૂ થશે.મુસાફરોને હવે દિલ્લી એરપોર્ટ પર ફરીથી ચેક-ઈન કરવાની જરૂૂર નહીં રહે. તેમનો સામાન સીધો અંતિમ મુકામ સુધી પહોંચી જશે. ઈન્ડિગોની આ નવી સુવિધાથી આંતરરાષ્ટ્રીય મુસાફરી વધુ અનુકૂળ બનાવી છે. સુરતથી હવે કમ્બોડિયા, ગુઆંગઝુ, માનચેસ્ટર જવું સરળ બનશે, ઈન્ડિગો એરલાઈન્સે સુરતના મુસાફરો માટે ફ્લાઈટ સેવા શરૂૂ કરી છે.
ઉપરાંત સુરતના મુસાફરોને હવે લાંબી મુસાફરીમાં વધુ આરામદાયક અનુભવ મળશે.એક જ PNR સિસ્ટમથી ટ્રાન્સફર પ્રક્રિયા સરળ અને ઝડપી થશે.

Exit mobile version