Site icon Gujarat Mirror

ભગવાન ઈસુના જન્મના વધામણાં, ચર્ચમાં વિશ્ર્વશાંતિ માટે પ્રાર્થના

સેવાનો માનવતાવાદી સંદેશ આપનાર ભગવાન ઈસુની જન્મદિનની ઉજવણી અંતર્ગત રાજકોટના કાલાવડ રોડ પર આવેલ પ્રેમ મંદિર ખાતેના ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યો છે અને ખ્રિસ્તી સમુદાયમાં પણ ઉમંગ જોવા મળી રહ્યો છે તારીખ 25 ડિસેમ્બરના રોજ ભગવાન ઈસુના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા ખ્રિસ્તી સમુદાય દ્વારા અનુયાયીઓેને ભેટી અને ઉજવણી કરવામાં આવી હતી. 24 ડિસેમ્બરની મધરાત્રે અને 25 ડિસેમ્બરના દિવસની શરૂઆત તથા સર્ચ નાતાલના ગીતોથી ગુંજી ઉઠ્યું હતું ખ્રિસ્તી સમાજ દ્વારા પ્રાર્થના કરી અને ઈસુ ભગવાનના જન્મે વધાવ્યો હતો. રાજકોટના તમામ પાંચ ચર્ચમાં ખ્રિસ્તી સમુદાય સહિત અન્ય ધર્મના લોકોએ પણ ઉજવણીમાં ભાગ લઈ કોની એકતાના દર્શન કરાવ્યા હતા.

Exit mobile version