Site icon Gujarat Mirror

ગાંધીનગરમાં સ્વ.વિજયભાઇ રૂપાણીને સીએમ-મંત્રીમંડળની શ્રધ્ધાંજલિ

12 જૂનના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 250થી વધુ લોકોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણીનું પણ નિધન થયું હતું. એના 70 કલાક બાદ ડીએનએ મેચ થયા હતા અને 16 જૂનના રોજ રાજકોટ ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. આજે ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી રૂૂપાણીની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સેક્ટર-17 હેલિપેડ ગ્રાઉન્ડ ખાતેના એક્ઝિબિશન સેન્ટરના હોલ નંબર-1માં સવારે 9થી 12 વાગ્યા સુધી શ્રદ્ધાંજલિ સભા યોજાઇ હતી. એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી મંડળના સભ્યો, ધારાસભ્યો, કાર્યકરો અને સંતો સહિત અનેક લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

Exit mobile version