પ્રીસિજન ટેકનોકાસ્ટને બનાવ સબંધે કોઇ સંબંધ નથી
ગુજરાત મિરરના ગઇકાલ તા. 11 ના અંકમાં પાના નં. 12 ઉપર બોઇલર ફાટતા ‘કારખાનેદારનું મોત, ભાગીદાર સહિત ત્રણ દાઝયા’ તેવા હેડીંગ સાથે શાપર નજીક વીરવા રોડ ઉપર ગોલ્ડન ગેઇટ નં. 1 મા આવેલ પ્રીસિજન એલોયકાસ્ટ નામના કારખાનામા સર્જાયેલ દૂર્ઘટના અંગેના સમાચાર પ્રસિધ્ધ થયા હતા.
આ સમાચારમાં શરત ચૂકથી શાપરમા જ આવેલ પ્રીસિજન ટેકનોકાસ્ટ પ્રા.લિ.ની તસવીર છપાઇ ગયેલ છે. આથી આ સ્પષ્ટતા કરવામા આવે છે કે, પ્રીસિજન એલોયકાસ્ટમા સર્જાયેલ આકસ્મિક દૂર્ઘટના સાથે પ્રીસિજન ટેકનોકાસ્ટ પ્રા.લી.ને કોઇ સબંધ નથી.

