Site icon Gujarat Mirror

જેતપુરમાં સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની પુણ્યતિથિએ રકતદાન કેમ્પનું આયોજન

જેતપુર માં ગુરૂૂવારે ગૌ. વા. વિઠ્ઠલભાઈ રાદડીયા ની માસિક પુણ્યતિથિ નિમીતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનો આયોજન કરવામાં આવેલ છે. જેતપુર યુથ સિટી કાઉન્સિલ ઓફ જેતપુર આયોજિત તેમજ દેવ બ્લડ બેંકના સહયોગથી લોકલાડીલા પૂર્વ સાસંદ ખેડૂત નેતા. ગૌ. વા. વિઠ્ઠલભાઈ રાદડીયાની માસિક પુણ્યતિથિ નિમીતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનો આયોજન જેતપુરના માર્કેટીંગ યાર્ડના ખેડૂત ગેસ્ટ હાઉસ ખાતે યોજવામાં આવશે સવારે 8 વાગ્યેથી બપોરે 12 વાગ્યે સુધી આયોજન કરવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમટી પડશે વિઠ્ઠલભાઈ રાદડીયાની ખેડૂતો અને સર્વ સમાજ પ્રત્યે લાગણી અને જે લગાવ હતો તેને આજે પણ ભુલી શકાય તેમ નથી જેથી તેઓની ગુરૂૂવારે માસિક પુણ્યતિથિ નિમીતે યુથ સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનો આયોજન કરવામાં આવેલ છે તેમ સંસ્થાના પ્રમુખ અશ્વિનભાઈ રામોલીયા, પ્રોજેક્ટ ચેરમેન વિજયભાઈ વોરા સેક્રેટરી સાવન નંદાણીયાની યાદી જણાવ્યું છે.

Exit mobile version