Site icon Gujarat Mirror

પોથી યાત્રા સાથે માનસ સદ્ભાવનાનું મંગલાચરણ

વૃદ્ધો અને વડિલોના લાભાર્થે મોરારિબાપુ સદ્ભાવના માનસ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. વૈશ્ર્વિ રામકથાની શરૂઆત પૂર્વે આજે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી આ પોથીયાત્રા વિરાણી હાઇસ્કૂલ ગ્રાઉન્ડથી શરૂ કરી હેમુ ગઢવી હોલ, દસ્તુર માર્ગ, ડો.યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, ફનવર્લ્ડ થઇ રેસકોર્સ ગ્રાઉન્ડ કથા સ્થળ ખાતે ડી.જે બેન્ડની સુરાવલિઓ, નાશીક ઢોલ, તરણેતરની રાસમંડળીઓ, બગીની જમાવટ, સંતો, મહંતો, અલગ-અલગ બગીઓમા ધર્મપ્રેમી જનતાને દર્શનનો લહાવો આપ્યો હતો. સાથો સાથ હાથી, ખુલ્લી જીપ, બુલેટ, વિન્ટેજ કાર તેમ જાંબુર ગીરનું પ્રખ્યાત સીદી લોકોનું ધામલ નૃત્ય પણ પોથીયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. (તસવીર : મુકેશ રાઠોડ)

Exit mobile version