Site icon Gujarat Mirror

જોડિયા પંથકમાં ટ્રકમાં 50 જેટલા પશુઓને કતલખાને લઇ જવાતા અટકાવાયા

જામનગર જિલ્લાના જોડિયા પંથકમાંથી એક ટ્રકમાં 50 જેટલા અબોલ જીવોને ભરીને કચ્છમાં કતલખાને લઈ જવાતા હોવાનું ધ્યાનમાં આવતાં વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીની ફરિયાદ ના આધારે પોલીસે એક કસાઈ શખ્સ સામે ગુનો નોંધ્યો છે, અને ટ્રક કબજે કરી લઇ અંદર રહેલા તમામ 50 પશુઓને બચાવી લઈ પાંજરાપોળમાં મોકલી દેવાયા છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મોરબી પંથકના વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ કમલેશભાઈ ભગવાનભાઈ ઝુંઝા કે જેઓ એ ગઈકાલે જોડિયા પોલીસ મથકમાં આવી ને ફરિયાદ કરી હતી કે જી.જે 12 એ.યુ.8645 નંબરના મોટા ટ્રકમાં સંખ્યાબંધ પશુઓને ખીચોખીચ ભરીને મોકલવામાં આવી રહ્યા છે.

જે ફરિયાદના અનુસંધાને જોડિયા પોલીસે સ્થળ પર પહોંચી કઈ રૂૂપિયા પાંચ લાખની કિંમતનો ટ્રક કબજે કરી લીધો હતો, જ્યારે ટ્રકની અંદર ભેંસના પાડા અને પાડી સહિતના અંદાજે 50 જેટલા જીવોને બાંધીને ભરીને રાખ્યા હતા,
જે તમામને નીચે ઉતાર્યા હતા, અને તમામ પશુઓને બચાવી લઇ પાંજરાપોળમાં મોકલી આપ્યા છે. પોલીસે બનાવના સ્થળેથી કચ્છના વતની ઇસબશા જમનશા શેખ નામના શખ્સની અટકાયત કરી લીધી છે, અને તેં સામે પશુ પ્રત્યે ઘાતકી પણાની કલમ સહિત ની અન્ય જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Exit mobile version