Site icon Gujarat Mirror

કંબોડિયામાં સેનાએ ભગવાન વિષ્ણુની મૂર્તિ તોડી પાડી

બેંગકોક: થાઈ સેનાએ કંબોડિયામાં ઘૂસીને હિન્દુ દેવતા ભગવાન વિષ્ણુની મૂર્તિ તોડી પાડી છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં જોવા મળે છે કે થાઈ સેના એક પ્લેટફોર્મ પર સ્થાપિત નવ મીટર ઊંચી હિન્દુ દેવતાની મૂર્તિને તોડી પાડવા માટે જેસીબી મશીનનો ઉપયોગ કરી રહી છે. વિશ્વભરના અસંખ્ય વપરાશકર્તાઓએ આ ઘટના પર દુ:ખ અને ગુસ્સો વ્યક્ત કર્યો છે.

કંબોડિયા સરકારના પ્રવક્તા કિમ ચાનપન્હાએ જણાવ્યું હતું કે , આ પ્રતિમા અમારા પ્રદેશમાં એન સેસ વિસ્તારમાં હતી. ગૂગલ મેપ્સ અનુસાર, પ્રતિમાનું સ્થાન સરહદ રેખાથી આશરે 400 મીટર દૂર હતું.

Exit mobile version