Site icon Gujarat Mirror

અનિલ કપૂર, બોની કપૂર અને અર્જુન કપૂર વનતારાના મહેમાન બન્યા

જામનગર જિલ્લાના મોટી ખાવડી સ્થિત રિલાયન્સ સંચાલિત વનતારાની મુલાકાતે સમયાંતરે મહાનુભાવોનું આગમન થતું રહે છે. ગઈકાલે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ ના અનિલ કપૂર, બોની કપૂર અને અર્જુન કપૂર જામનગર એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતાં. ત્યાંથી તેઓને રિલાયન્સ ટાઉનશીપમાં લઈ જવાયા હતાં. જ્યાં તેઓ વનતારા ની મુલાકાત લઈ શકે છે. આજે તેઓ રોકાણ કરશે. તેમ પણ જાણવા મળે છે. આમ આજે કપૂર પરિવારે રિલાયન્સની મહેમાનગતિ માણી હતી.

Exit mobile version