Site icon Gujarat Mirror

જેલ બહાર મધરાતે નાટક વચ્ચે ઇમરાનના પુત્રએ કહ્યું, પિતા જીવિત હોવાના પુરાવા નથી

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાં બંધ થયાને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તેઓ લગભગ 845 દિવસથી જેલમાં છે. તેમના પરિવારને તેમને મળવાની મંજૂરી નથી, કે પીટીઆઈના કોઈપણ નેતાઓને તેમને મળવાની મંજૂરી નથી. આ દરમિયાન, પાકિસ્તાનની અદિયાલા જેલની બહાર મોડી રાતનો નાટક બહાર આવ્યું, જ્યારે ઇમરાન ખાનના પુત્રની એક પોસ્ટે વિવાદ ઉભો કર્યો. ઇમરાન ખાનના પુત્ર કાસિમ ખાનનો સંદેશ સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ દેશના ઘણા ભાગોમાં અશાંતિ ફેલાઈ ગઈ.

બ્રિટનમાં રહેતા કાસિમ ખાને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે ઇમરાન ખાનને છેલ્લા છ અઠવાડિયાથી એક એવી જગ્યાએ રાખવામાં આવ્યા છે, જ્યાં તેમને કોઈનો સંપર્ક કરવાની મંજૂરી નથી અને તેમના પરિવાર વિશે તેમને જાણ કરવામાં આવી રહી નથી. તેમણે લખ્યું કે તેમની પાસે તેમના પિતા જીવિત હોવાનો કોઈ પુરાવો નથી. આ નિવેદનથી રાજકીય તોફાન ઉભું થયું. કાસિમ અને તેનો ભાઈ સામાન્ય રીતે રાજકારણથી દૂર રહે છે, પરંતુ આ વખતે સંજોગોએ તેમને ખુલ્લેઆમ આગળ આવવા મજબૂર કર્યા.

પાકિસ્તાનના રાવલપિંડીમાં અદિયાલા જેલની બહાર મધ્યરાત્રિએ હાઈ-વોલ્ટેજ ડ્રામા થયો. ખૈબર પખ્તુનખ્વાના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી સોહેલ આફ્રિદી ગઈકાલે સાંજથી અદિયાલા જેલની બહાર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં ઈમરાન ખાન સાથે મુલાકાતની માંગ કરવામાં આવી છે. તેમને પોલીસે માથુ પછાડી નીચે પાડી દીધા હતાં અને માર પણ માર્યો હતો.

Exit mobile version