ખંભાળિયામાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીનું થોડા સમય પૂર્વે કોઈ શખ્સ લલચવી – ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કરીને લઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ સગીરાના પરિવારજન દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આને અનુલક્ષીને ખંભાળિયાના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અહીંના શક્તિનગર વિસ્તારમાં શીરૂ તળાવ પાસે રહેતા અરશી નારણ ચાવડા નામના 26 વર્ષના શખ્સને પોલીસે દબોચી લઈ, અને ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ કામગીરી પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ તેમજ સ્ટાફના હેમતભાઈ નંદાણીયા, કાનાભાઈ લુણા અને યોગરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી. (તસવીર: કુંજન રાડિયા)
ખંભાળિયામાં સગીરાના અપહરણ પ્રકરણનો આરોપી ઝડપાયો

