છિંદવાડા નજીક દુર્ઘટના સર્જાઇ: 31 મુસાફર ઘાયલ
મધ્યપ્રદેશના છિંદવાડાથી એક માર્ગ અકસ્માતના હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જ્યાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરી રહેલી બસ એક પિકઅપ ટ્રક સાથે જોરદાર ટક્કર મારી ગઈ. આ દુ:ખદ અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 31 અન્ય ઘાયલ થયા છે.
મધ્યપ્રદેશના છિંદવાડામાં બસ અને પિકઅપ ટ્રક વચ્ચે સામસામે ટક્કર થતાં 10 લોકોના મોત થયા છે અને 31 લોકો ઘાયલ થયા છે – જેમાંથી ત્રણથી ચારની હાલત ગંભીર છે. વાહનો મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા.
મુખ્યમંત્રી મોહન યાદવે ઘટના અંગે શોક વ્યક્ત કર્યો અને મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી. મુખ્યમંત્રીએ એવી પણ જાહેરાત કરી કે તમામ ઘાયલોને મફતમાં તબીબી સારવાર આપવામાં આવશે.
જિલ્લા પોલીસ અધિક્ષક (એસપી) અજય પાંડેએ એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે આ ઘટના નાગપુર રોડ પર સિમારિયા નજીક બની હતી, જે જિલ્લા મુખ્યાલયથી આશરે 25 કિલોમીટર દૂર છે. તેમણે જણાવ્યું હતું કે, “આ અકસ્માતમાં છ પુરુષો, ત્રણ મહિલાઓ અને એક બાળકે જીવ ગુમાવ્યા.”
છિંદવાડા જિલ્લા કલેક્ટર હરેન્દ્ર નારાયણે પુષ્ટિ આપી કે, તબીબી વ્યાવસાયિકો અનુસાર, 31 લોકોને ઇજાઓ થઈ છે. ઘાયલ મુસાફરોમાંથી 3-4 ની હાલત ગંભીર છે. તેમાંથી એકને અદ્યતન તબીબી સારવાર માટે પડોશી રાજ્ય મહારાષ્ટ્રના નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
કોટવાલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ આશિષ કુમારે જણાવ્યું હતું કે અકસ્માત સમયે બસમાં 40 થી વધુ મુસાફરો હતા. ઘાયલોને એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોનો ઉપયોગ કરીને જિલ્લા હોસ્પિટલ અને નજીકના અન્ય તબીબી કેન્દ્રોમાં લઈ જવામાં આવ્યા હતા.

