Site icon Gujarat Mirror

કાલાવડ પંથકમાં ઘરમાં ઘૂસી પરિણીતા ઉપર દુષ્કર્મ આચર્યુ

કાલાવડ ના ગ્રામ્ય વિસ્તાર માં રહેતી એક પરિણિતા પર સરાપાદર ગામ ના શખ્સે રાત્રી ના સમયે ઘરમાં ઘુસી જઈ ફડાકા ઝીંક્યા પછી દુષ્કર્મ આચર્યા ની પોલીસ માં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુન્હો નોંધી આરોપી ને ઝડપી લીધો છે.

કાલાવડ તાલુકાના ગ્રામ્ય પંથક માં વસવાટ કરતા એક પરિવારની મહિલા પોતાના ઓરડામાં સુતી હતી ત્યારે મધરાત્રે ઘરમાં ઘુસી આવેલા સરાપાદર ગામના નરેશ વાલજીભાઈ પરમાર નામના શખ્સે તેણીને ફડાકા ઝીંકી દુષ્કર્મ આચર્યું હતું. આ પરિણિતા એ ગયા સોમવાર ની રાત્રે નરેશે બળજબરી આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપી નરેશ વાલજીભાઈ ની ધરપકડ કરી છે.

Exit mobile version