Site icon Gujarat Mirror

જામનગરમાં ખોડિયાર કોલીનીમાં ધોળે દહાડે ઘરફોડ ચોરીની ઘટના

એક ઈજનેર યુવાનના ફ્લેટમાંથી 80 હજારની રોકડ રકમ કોઈ તસ્કરો ઉઠાવી ગયાની પોલીસ ફરિયાદ

જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાં કોઈ તસ્કરોએ ધોળે દહાડે તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી રોકડ રકમ ચોરી જવાના બનાવે ચકચાર મચાવી છે.

જામનગરના સીટી ‘સી’ ડીવી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 305(એ) અને 331(3) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.જેમાં ફરિયાદી ક્રુણાલભાઈ વિનુભાઈ મેસીયા (ઉ.વ.30), હાલ રહે. ખોડિયાર કોલોની, અર્ચના એપાર્ટમેન્ટ, જામનગર દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. 18/04/2026ના બપોરે 3.00 થી સાંજે 7.00 વાગ્યા વચ્ચે કોઈ અજાણ્યો ચોર મુખ્ય દરવાજાનું તાળું તોડી તેમના મકાનમાં પ્રવેશ્યો હતો.
ચોરે ઘરમાં રહેલા કબાટમાંથી પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલ અંદાજે રૂૂપિયા 80,000 રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે, અને અજાણ્યા આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાના પ્રયાસો શરૂૂ કરવામાં આવ્યા છે.

Exit mobile version