Site icon Gujarat Mirror

યાત્રાધામ દ્વારકામાં ગણેશ પંડાલના સ્ટેજ ઉપર ચડી આખલાએ ધમાચકડી મચાવી

યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે ફુલેકા શેરીના ગણેશજી વીસર્જન સમયે અચાનક જ રખડતો આખલો ગણેશ પંડાલમાં બનાવેલ 3 ફૂટ ઉંચા સ્ટેજ પર ચઢી ગયેલ હતો. અને ધમાલ ચકડી મચાવી હતી. આ સમયે ત્યાં રહેલ લોકોમાં નાસભાગ મચી જવા પામેલ અને લોકો જીવ અધ્ધર ચઢ્યા હતા.

ગણેશ પંડાલમાથી કાર્યકરો એ જીવના જોખમે શ્રી ગણપતિજી ની મૂર્તિ સ્થાન પર થી હટાવી ને બચાવી હતી. આ ઘટના થી મંડળ સૌ લોકો ની ધાર્મિક લાગણી દુભાઈ હતી. રખડતા આખલાઓ તથા ગલી મા આડેધડ થતા વાહન પાર્કિંગ ના લિધે શહેરી જનોમાં તંત્ર ઉપર રોષ વ્યાપ્યો હતો.

Exit mobile version