વન વિભાગ અને વનતારા વચ્ચે વાઇલ્ડ લાઇફ વિવિધતા અને સંરક્ષણ વધારવા હાથ મિલાવાયા
બરડા વન્યજીવ અભયારણ્યમાં વન્યજીવનની વિવિધતા વધારવા માટે, ગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજીકલ, રેસ્ક્યુ એન્ડ રીહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે તેવી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વાનતારા સાથે મળીને 33 ચિત્તલ (હરણ)ને નિયુક્ત સુરક્ષિત વિસ્તારમાં મુક્ત કર્યા છે.
આ હરણને જામનગરમાં વાનતારાની એક્સ-સીટુ ક્ધઝર્વેશન સુવિધામાંથી ખાસ તૈયાર કરેલી એમ્બ્યુલન્સમાં બરડા વન્યજીવ અભયારણ્યમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ, ઇકોલોજીકલ યોગ્યતા અને સહાયક પ્રણાલીઓની તૈયારીની ખાતરી કર્યા પછી, વન વિભાગની દેખરેખ હેઠળ હરણોને છોડવામાં આવ્યા હતા.
વાનતારાએ સ્થાપિત સંરક્ષણ પ્રોટોકોલનું પાલન સુનિશ્ચિત કરવા માટે ટેકનિકલ અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો.ઐતિહાસિક રીતે, બરડામાં સાંભર, ચિત્તલ અને ચિંકારાની વસતિ ખૂબ હતી, જે સમય જતાં રહેઠાણના વિભાજન અને અન્ય ઇકોલોજીકલ દબાણને કારણે ઘટી ગઈ છે.
અભયારણ્યના અખંડ નિવાસસ્થાન અને ઇકોલોજીકલ ક્ષમતાને ઓળખીને, વન વિભાગે આ મૂળ શાકાહારી પ્રાણીઓને ફરીથી રજૂ કરવાના પ્રયાસો શરૂૂ કર્યા છે, જેનો હેતુ ટ્રોફિક સંતુલન પુન:સ્થાપિત કરવાનો અને કાર્યાત્મક સંરક્ષણ લેન્ડસ્કેપ તરીકે અભયારણ્યની ભૂમિકાને મજબૂત કરવાનો છે.બરડામા આ પહેલ સરકારની આગેવાની હેઠળના સંરક્ષણ પ્રયાસોની નિરંતરતા દર્શાવે છે, જેમાં વાનતારા વૈજ્ઞાનિક નિપુણતા, પશુચિકિત્સા સંભાળ અને તકનીકી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું યોગદાન આપીને એક પ્રતિબદ્ધ ભાગીદાર તરીકે સેવા આપી રહ્યું છે. સાથે મળીને, આ સહયોગી પ્રયાસો ઇકોસિસ્ટમને મજબૂત કરી રહ્યા છે અને ભારતની સમૃદ્ધ જૈવ વિવિધતાનું રક્ષણ કરી રહ્યા છે, એટલું જ નહીં પરંતુ દેશભરમાં ભવિષ્યના સંરક્ષણ પહેલ માટે એક મોડેલ પણ સ્થાપી રહ્યા છે.

