Site icon Gujarat Mirror

મોરબીના મકનસર ગામના સ્મશાનમાં વૃધ્ધનો આપઘાત

ઝાડની ડાળીએ લટકી જિંદગી ટૂંકાવી

મકનસર ગામમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધે ગામના સ્મશાનમાં ચુંદડી વડે વૃક્ષની ડાળી પર લટકી જીવનલીલા સંકેલી લીધી હતી પોલીસે આપઘાતના બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ થાનગઢ તાલુકાના વતની અને હાલ મકનસર ગામે રહેતા શંકરભાઈ સવાભાઇ સત્રોટીયા (ઉ.વ.62) તા. 18 ના રોજ મકનસર ગામના સ્મશાનમાં ઝાડની ડાળી સાથે ચુંદડી વડે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો અને આપઘાતના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version