Site icon Gujarat Mirror

યુદ્ધવિરામ મામલે મોદી મૌન કેમ? સંસદનું ખાસ સત્ર બોલાવવા કોંગ્રેસની માંગ

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિરોધી પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે બંનેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને 22 એપ્રિલના પહલગામ હુમલા અને તે પછીના દિવસોમાં સરહદી સંઘર્ષમાં વધારો થવા પર ચર્ચા કરવાની માંગ કરી. આ ઉપરાંત પક્ષે યુદ્ધ વિરામનો નિર્ણય અમેરિકા લઈ રહ્યું છે તો મુદો ઉઠાવી કહ્યુ કે ભારતે જે નિર્ણય લીધો હોય તો આપણો પક્ષ લેવો જોઈએ મોદી આમામલે મૌન કેમ છે?
હું વિપક્ષની સર્વાનુમતે સંસદનું ખાસ સત્ર તાત્કાલિક બોલાવવાની વિનંતીનો પુનરોચ્ચાર કરું છું. લોકો અને તેમના પ્રતિનિધિઓ માટે પહલગામ આતંકવાદી હુમલો, ઓપરેશન સિંદૂર અને યુએસ પ્રમુખ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલ યુદ્ધવિરામ પર ચર્ચા કરવી મહત્વપૂર્ણ છે.

આ આગળના પડકારોનો સામનો કરવા માટે આપણા સામૂહિક સંકલ્પને દર્શાવવાની પણ તક હશે, કોંગ્રેસ નેતા ગાંધીએ કહ્યું.પોતાના પત્રમાં, ખડગેએ 28 એપ્રિલના રોજ તેમના અને રાહુલ ગાંધી દ્વારા લખાયેલા પત્રોને યાદ કર્યા, જેમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને સંસદનું ખાસ સત્ર બોલાવવાની વડા પ્રધાનને વિનંતી કરવામાં આવી હતી, જેમાં 26 લોકો માર્યા ગયા હતા.

કોંગ્રેસના મીડિયા વડા પવન ખેરાએ કહ્યું, આ ખૂબ જ અણધારી વાત છે કે અમને અમેરિકન રાષ્ટ્રપતિ તરફથી ખબર પડી કે આવું થયું છે. કોંગ્રેસના નેતા સચિન પાયલોટે કહ્યું, … સંસદ હુમલા દરમિયાન પણ, જ્યારે અટલ બિહારી વાજપેયી પીએમ હતા અને સોનિયા ગાંધી વિરોધી પક્ષ હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે વિપક્ષ સરકાર સાથે છે… આ વખતે પણ, વિપક્ષે સરકારને ટેકો આપ્યો હતો, પરંતુ અમેરિકા દ્વારા જે રીતે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી તે દ્વિપક્ષીય મુદ્દાને આંતરરાષ્ટ્રીય બનાવવાનો પ્રયાસ હતો.

Exit mobile version