Site icon Gujarat Mirror

અમે એરલાઇન ચલાવી શકતા નથી: ઇન્ડિગો મામલે હસ્તક્ષેપનો ઇન્કાર કરતી સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે ઇન્ડિગો દ્વારા સેંકડો ફ્લાઇટ્સ રદ કરવાના મામલે હસ્તક્ષેપ કરવાની માંગ કરતી તાત્કાલિક અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે તે એરલાઇન ચલાવી શકતી નથી. ભારત સરકારે પહેલાથી જ આ બાબતની નોંધ લીધી છે અને સમયસર કાર્યવાહી કરી છે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે સ્વીકાર્યું કે ફ્લાઇટ રદ થવાને કારણે ઘણા મુસાફરોને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. અરજદાર એડવોકેટ નરેન્દ્ર મિશ્રાએ આ મામલે વહેલી સુનાવણીની માંગ કરતી અરજી દાખલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 2,500 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને દેશભરના તમામ મુખ્ય એરપોર્ટને અસર થઈ છે. સુપ્રીમ કોર્ટે જરૂૂર મુજબ હસ્તક્ષેપ કરવો જોઈએ.

Exit mobile version