Site icon Gujarat Mirror

વિરાટ કોહલીની ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા? ઓસ્ટ્રેલિયા શ્રેણીને લઇ ચર્ચા

વિરાટ અને રોહિત IPL 2025 પછી એક પણ મેચ રમ્યા નથી

ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ અને ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. વિરાટ હજુ પણ ઓડીઆઇ ક્રિકેટ રમી રહ્યો છે. તેના ચાહકો તેને ઓસ્ટ્રેલિયા સામેની ઓડીઆઇ શ્રેણીમાં રમતા જોવા માંગે છે. જોકે, મુખ્ય પસંદગીકાર અજિત અગરકર કોહલીનો યોગ્ય રીતે સંપર્ક કરી શક્યા નથી. અહેવાલ મુજબ, વિરાટ કોહલી સાથે વનડે ક્રિકેટમાં રમવાને લઈ કોઈ વાતચીત થઈ નથી.

મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે તાજેતરમાં વિરાટ કોહલી સાથે ઓડીઆઇ ક્રિકેટ માટેની તેમની યોજનાઓ વિશે વાત કરી હતી. રેવસ્પોર્ટ્ઝના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. વિરાટ કોહલીના વનડે ક્રિકેટ રમવાને લઈ એ રિપોર્ટ સામે આવ્યો છે કે BCCI સાથે ચર્ચાઓમાં કોઈ વિલંબ થઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ ઇચ્છતું હતું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા અ સામે ઓડીઆઇ મેચ રમે પરંતુ બંને ખેલાડીઓને ભારત અ ટીમમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. વિરાટ અને રોહિત બંને IPL 2025 પછી એક પણ મેચ રમ્યા નથી.

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની ઓડીઆઇ સીરીઝ પહેલા બ્રોન્કો ટેસ્ટ અને યો-યો ટેસ્ટ પાસ કરી છે. બંને ખેલાડીઓ સંપૂર્ણપણે ફિટ છે. રોહિત અને વિરાટના નેટ્સમાં પ્રેક્ટિસ કરતા ફોટા પણ સામે આવ્યા છે.

Exit mobile version