Site icon Gujarat Mirror

રેખાને નેશનલ એવોર્ડ અપાવનાર ઉમરાવ જાન 27મીએ થશે રીરિલીઝ

મુઝફ્ફર અલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ખ્યાતનામ ફિલ્મ ‘ઉમરાવ જાન’ 27 જૂને સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની ગુણવત્તા સારી થઈ શકે એ માટે પ્રિન્ટને 4ઊંમાં રીસ્ટોર કરવામાં આવી છે.

ફિલ્મની રીરિલીઝની ઉજવણી માટે ડિરેક્ટર મુઝફ્ફર અલી એક લિમિટેડ એડિશનની કોફી-ટેબલ બુક પણ લોન્ચ કરી રહ્યા છે જે પઉમરાવ જાનથના નિર્માણની પડદા પાછળની ઝલક દર્શાવશે. આ કોફી-ટેબલ બુકમાં અગાઉ ક્યારેય ન જોવાયેલી તસવીરો, કોસ્ચ્યુમ સ્કેચ, કવિતાઓ અને સેટ સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સિનેપ્રેમીઓ, સિનેમાના વિદ્યાર્થીઓ અને સંસ્કૃતિને જાણવા ઉત્સુક લોકો માટે ડિઝાઇન કરવામાં આવેલું આ પુસ્તક ફિલ્મની રિલીઝ પહેલાં ઉપલબ્ધ હશે. ‘ઉમરાવ જાન’ બોલીવુડની યાદગાર ફિલ્મ છે. આ ફિલ્મ માટે રેખાને શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ અવોર્ડ પણ મળ્યો હતો. ફિલ્મની વાર્તાની સાથે-સાથે એનાં ગીતોને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યાં હતાં.

Exit mobile version