ઉતરકાશીમાં ભૂકંપના આંચકા સૌપ્રથમ સવારે લગભગ 7.42 વાગ્યે અનુભવાયા હતા. ભૂકંપના કારણે વરુણાવત પર્વતના લેન્ડસ્લાઈડ ઝોનમાંથી કાટમાળ અને પથ્થરો પડ્યા હતા. આ પછી 8.20 કલાકે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આજે ઉત્તરકાશી અને આસપાસના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા બે વાર અનુભવાયા હતા. ગભરાટના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. લોકોમાં ભયનો માહોલ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા તમામ તાલુકાઓમાંથી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે સવારે લગભગ 7.42 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે વરુણાવત પર્વતના લેન્ડસ્લાઈડ ઝોનમાંથી કાટમાળ અને પથ્થરો પડ્યા હતા. આ પછી રાત્રે 8.20 કલાકે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

