jamnagar
દરેડ નજીકથી ઝડપાયેલા દારૂના જથ્થાકાંડમાં સાત પોલીસકર્મીની બદલી
જામનગર નજીકના દરેડમાં દસેક દિવસ પહેલા સ્ટેટ મોનિટરીંગ સેલે પાડેલા દરોડામાં અંગ્રેજી શરાબની સાડા ચારસો પેટી મળી આવી હતી. તે પછી પોલીસબેડામાં મચેલા ખળભળાટ વચ્ચે ફોજદારને સસ્પેન્ડ કરાયા હતા અને આ વિસ્તારના પોલીસ મથકના સાત પોલીસ કર્મચારીની આજે બદલી કરી નાખવામાં આવી છે.
જામનગરના દરેડ વિસ્તારમાં દસેક દિવસ પહેલાં રાજ્યની મોનિટરીંગ સેલે દરોડો પાડી અંગ્રેજી શરાબની 5400 પેટી કબજે કરી હતી. આ જથ્થા સાથે ચાર પરપ્રાંતિય શખ્સની અટકાયત થઈ હતી.
જામનગરના પંચકોશી-બી ડિવિઝન પોલીસ મથકમાં સમાવિષ્ટ દરેડ વિસ્તારમાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા આ દરોડાએ પોલીસ બેડામાં ખળભળાટ મચાવ્યો હતો. જેના પગલે આ પોલીસ મથકના પીએસઆઈ એન.એ. મોરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તે પછી આજે જિલ્લા પોલીસવડાએ પંચકોશી-બી ડિવિઝનના સાત પોલીસ કર્મચારીની અન્ય પોલીસ મથકમાં બદલી કરી નાખી છે.
હાલમાં પંચકોશી-બીમાં ફરજ બજાવતા એએસઆઈ એમ.એલ. જાડેજાને સિટી-એ ડિવિઝનમાં, એએસઆઈ ડી.સી. ગોહિલને લાલપુર તેમજ હે.કો. નિર્મળસિંહ બી. જાડેજાને પંચકોશી-એ ડિવિઝન, હે.કો. ધર્મેન્દ્રસિંહ જી. ઝાલાને સિક્કા, હરદેવસિંહ યુ. જાડેજાને મેઘપર તેમજ પો.કો. મહાવીરસિંહ વી. જાડેજા અને અનાર્મ લોકરક્ષક મયુરસિંહ જે. જાડેજાને સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મુકી દેવામાં આવ્યા છે.
jamnagar
ખંભાળિયાના વિપ્ર યુવાનની કારને ગંભીર અકસ્માત: બે ના કરુણ મૃત્યુ

ખંભાળિયામાં રહેતા એક કર્મકાંડી યુવાનના મામા અહીં આવ્યા હતા, તેમને નાયરોબી પરત મૂકવા જતી વખતે અમદાવાદના એરપોર્ટ પર મૂકીને પરત ફરતા તેમની કાર સાથે ટ્રકની થયેલી જીવલેણ ટક્કરમાં કારમાં સવાર બે મુસાફરોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે અન્ય બે ને ઇજાગ્રસ્ત હાલતમાં અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.
આ કરુણ બનાવની વિગત એવી છે કે ખંભાળિયામાં જડેશ્વર સોસાયટી વિસ્તારમાં રહેતા અને કર્મકાંડનું કામ કરતા હિતેશભાઈ વિજયભાઈ જોશી નામના 32 વર્ષના યુવાનના મામા નાયરોબીથી થોડા દિવસ પૂર્વે રાત્રે આવ્યા હતા. ગઈકાલે તેઓને નાયરોબી પરત જવા માટેની અમદાવાદ ખાતેથી ફ્લાઇટ હોય, હિતેશભાઈ જોશી એક અર્ટિગા મોટર કારમાં ચાલક કુંજન શુક્લને સાથે લઈને તેમને મૂકવા ગયા હતા. મંગળવારે વહેલી સવારના આશરે ચારેક વાગ્યે હિતેશભાઈ તેમના મામાને એરપોર્ટ પર મૂકીને ખંભાળિયા તરફ ફરી રહ્યા હતા, ત્યારે ખંભાળિયાના એક સોની પરિવારની પુત્રી રમાબેન (ઉ.વ. 50) તથા તેમના પતિ હિતેશભાઈ સોની (ઉ.વ. 55) તેઓને અર્ટિગા કારમાં સાથે પરત આવતા હતા. ત્યારે અમદાવાદ નજીક બગોદરા પાસેથી રાજસ્થાન પાસીંગ વાળા એક ટ્રકના ચાલકે એકાએક બ્રેક મારતા પણ અર્ટિગા કારના ચાલક કુંજન શુક્લએ કાર પરનો કાબુ ગુમાવી દીધો હતો અને આ કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાઈ પડી હતી. આ ભયંકર અકસ્માતમાં મોટરકારનો બુકડો બોલી ગયો હતો અને ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલા હિતેશભાઈ જોષી તેમજ દુબઈના રહેવાસી હિતેશભાઈ સોનીને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા લોહી લોહાણ હાલતમાં બંનેના મૃત્યુ નીપજ્યા હતા.જ્યારે કારના ચાલક કુંજન શુક્લ તથા ખંભાળિયાના સોની પરિવારની પુત્રી કે જે દુબઈથી ખંભાળિયા માટે આવેલા હતા, તે રમાબેનને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ સાથે વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હિતેશભાઈ જોશી મૂળ ભણગોર ગામના વતની હતા અને તેઓ મિલનસાર સ્વભાવના અને કર્મકાંડનો વ્યવસાય હતા. આજરોજ સવારે તેમની અંતિમયાત્રામાં રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિના લોકો તેમજ પરિચિતો મોટી સંખ્યામાં જોડાયા હતા. મામાને એરપોર્ટ પર મુકવા ગયેલા ભાણેજ જીવલેણ અકસ્માતનો ભોગ બનતા બ્રહ્મ સમાજમાં ભારે ગમગીની પ્રસરી જવા પામી છે.
ત્યારે ખંભાળિયાની સોની પરિવારની દીકરી અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનીને જમાઈ અકાળે અવસાન પામતા સોની સમાજમાં પણ ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
jamnagar
જિલ્લાની તમામ કોર્ટોમાં તા.9 ડિસે.ના રોજ નેશનલ લોકઅદાલતનું આયોજન

જામનગર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આગામી તા.9.12.23 ના રોજ જિલ્લાની તમામ કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં , ફોજદારી સમાધાનપાત્ર કેસ , નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબના ચેકનાં કેસ , બેંક રીકવરી દાવા , એમ.એ.સી.પી.નાં કેસ, લેબર તકરારના કેસ , લગ્ન વિષયક તકરારના કેસ , વીજળી અને પાણી બિલ ( સમાધાન પાત્ર ન હોય તે સિવાયના) કેસ , કૌટુંબિક તકરારના કેસ , જમીન સંપાદનના કેસ ,.સર્વિસ મેટર ના પે અને એલાઉન્સીસ અને નિવૃતિના લાભના કેસ , રેવન્યુ કેસ ( ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને હાઈકોર્ટમાં પેન્ડીંગ હોય તે જ) , અન્ય સીવીલ કેસ (ભાડુઆત, સુખાધિકાર હકક, મનાઈ હુકમના દાવા, સ્પેસીફીક પરફોર્મન્સ) વગેરે ના કેસો માટે.ની નેશનલ લોક અદાલત નું નાલ્સા ના એકશન પ્લાન મુજબ આયોજન કરાયું છે. આથી જામનગર જિલ્લાની તમામ જાહેર જનતા તથા પક્ષકારોને જણાવાયું છે કે, તેઓના ઉપરોકત પૈકીના પેન્ડીંગ કેસોમાં સમાધાનથી તકરારનું નિરાકરણ કરવા, તેઓના વકીલ મારફતે જે તે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તે કોર્ટના કેસ લોક અદાલતમાં મુકવા સંપર્ક કરવો. લોક અદાલત એ તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણમાં ફોરમ છે જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે અને તેનાથી પક્ષકારને ઝડપી ન્યાય મળી શકે છે. વધુમાં લોક અદાલતના માધ્યમથી કેસમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક નુકશાની અને સમયની બચત થાય છે. લોક અદાલત અંગે કોઈપણ માહિતી મેળવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગરનો ફોન નં. 2550106 ઉપર સંપર્ક કરવો તેમજ દરેક જિલ્લા/તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તો જે તે જિલ્લા/તાલુકા કોર્ટનો સંપર્ક કરવા સિનિયર સિવિલ જજ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જામનગરની યાદીમાં જણાવાયું છે.
jamnagar
પરિણીતાની ત્રાસ આપ્યાની ફરિયાદમાં અદાલતે સાસરિયાનો ફરમાવ્યો છૂટકારો

જામનગરના એક પરિણીતાએ પતિ, સાસુ, જેઠ-જેઠાણી, નણંદ સામે ત્રાસ આપ્યાની તથા મારકૂટ કર્યાની પોલીસમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી સાસરિયાઓનો છૂટકારો ફરમાવતો હુકમ કર્યો છે.
જામનગરના પરેશભાઈ કામરીયા નામના આસામીના પત્ની ચેતનાબેને મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ તેમજ સાસુ ઉર્મિલાબેન, જેઠ કેતન ભાઈ, જેઠાણી જયોતિબેન, નણંદ આશાબેન સામે ત્રાસ આપી મારકૂટ કરતા હોવાની ફરિયાદ કરી હતી.
ઉપરોેક્ત ગુન્હામાં પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા પછી તે કેસ અદાલતમાં ચાલવા પર આવતા આરોપી પક્ષના વકીલ ચંદ્રેશ મોતા, મૈત્રી ભૂતે ફરિયાદીની ઉલટ તપાસ લીધી હતી. જેમાં તેણીએ જણાવ્યું હતું કે, ફરિયાદ થઈ ત્યારે અને હાલમાં પતિ સાથે જ તેણી રહે છે. જ્યારે સાસરીયા અલગ રહે છે. સાસુ ઉર્મિલાબેને તેણી સામે પોેલીસમાં અરજી કરતા તેણીએ ફરિયાદ નોંંધાવી હતી. પતિએ લગ્નગાળા દરમિયાન કાઢી મુકી નથી અને માવતરે જતું રહેવું પડે તેવું બન્યું નથી. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી સાસરિયાઓનો છૂટકારો ફરમાવ્યો છે.
-
Sports3 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર2 months ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર2 months ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
સુરેન્દ્રનગર2 months ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર1 month ago
પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વોર્ડનના બીભત્સ શબ્દાના ઉચ્ચારથી ચકચાર