Site icon Gujarat Mirror

અપમાનથી કંટાળીને અશ્ર્વિને અંતે નિવૃત્તિ લીધી, પિતાનો આરોપ

 

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિના ત્રીજા જ દિવસે તેના પિતાએ સનસનીખેજ આરોપ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે તેના પુત્રનું અપમાન કરવામાં આવી રહ્યું છે, જેને કારણે અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ જાહેર કરી. મને પણ (તેની નિવૃત્તિ વિશે) છેલ્લી ક્ષણે ખબર પડી. નિવૃત્તિ તેમની ઈચ્છા છે, હું તેના વિશે કંઈ કરી શકતો નથી, પરંતુ તેણે જે રીતે કહ્યું, તેના ઘણા કારણો હોઈ શકે છે.

ફક્ત અશ્વિન જ જાણે છે, કદાચ અપમાનને કારણે. ખરેખર આ નિવૃત્તિએ અમને આઘાત આપ્યો. પરંતુ અમે પણ તેની અપેક્ષા રાખતા હતા કારણ કે અપમાન આવતા હતા. ક્યાં સુધી તે આ બધું સહન કરી શકે? કદાચ, તેણે જાતે જ નિર્ણય લીધો હશે.

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબા ખાતે રમાયેલી ટેસ્ટ મેચ બાદ અશ્વિને આ જાહેરાત કરી હતી. અશ્વિનનો અત્યાર સુધી મજબૂત રેકોર્ડ રહ્યો છે. બોલિંગની સાથે તેણે બેટિંગમાં પણ શ્રેષ્ઠતા દર્શાવી છે. અશ્વિને ટેસ્ટ ઉપરાંત વનડે ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.

Exit mobile version