Connect with us

ગુજરાત

કોઠારિયા સોલવન્ટના યુવાનને ચા પીવાના બહાને ઘરે લઇ જઇ ત્રણ શખ્સોએ દોઢ લાખ લૂંટી લીધા

Published

on

‘તમે બન્ને ખોટા કામ કરો છો’ કહી વીડિયો બનાવી કટકે-કટકે પૈસા પડાવ્યા

કોઠારીયા સોલવન્ટમાં રહેતા યુવાન સાથે પરિચય કેળવી ચા પીવાના બહાને ઘરે લઇ જઇ ત્રણ શખ્સોએ છરી બતાવી બળજબરીથી દોઢ લાખ પડાવી લીધાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. તમે બન્ને ખોટા કામ કરો છો તેમ કહી વિડીયો બનાવી ધમકી આપી કટકે-કટકે પૈસા પડાવી લીધા હતા. આ ઉપરાંત પોલીસમાં કરેલી અરજી પરત ખેંચી લેવા દબાણ કરી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી.

જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટમાં ઓમનગર સોસાયટીમાં રહેતા અને કોમ્પ્યુટર એસેસરીઝની દુકાનમાં નોકરી કરતા અજય ભગવાનજીભાઇ ચૌહાણ (ઉ.32) નામના યુવાને માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાન આરોપી તરીકે જયદિપસિંહ જાડેજા, ભાર્ગવ અને એક અજાણ્યો શખ્સ હોવાનું જણાવ્યું છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ગઈ તા.18.9નાં અંકુરનગર મેઈન રોડ ઉપર સિટી સિલ્વર એપાર્ટમેન્ટ પાસે હતો ત્યારે ત્યાં આરોપી ભાર્ગવ મળ્યો હતો. જેને અગાઉ પણ તે એક વાર મળ્યો હોય ભાર્ગવે તેને પોતાના ઘરે ચા પીવા માંટેનું કહેતા તે તેના ઘરે કે સીટીસિલ્વર એપાર્ટમેન્ટમાં ચોથા માળે છે. 405 નંબરના ફલેટમાં ગયો હતો. જયાં બન્ને બેઠા હતા ત્યારે એક શખ્સ ધસી આવ્યો હતો. અને મોબાઈલમાં શુટીંગ ઉતારવા લાગ્યો હતો. આ સમયે તેણે તમે બન્ને અહિંયા ખોટા કામ કરવા માંટે ભેગા થયા છો. તેમ કહેતા તેને ના પાડી હતી. દરમિયાન એ શખ્સ તેને ગાળો દઈછરી બતાવીછરી મારવાની ધમકી આપી મોબાઈલમાંથી કોઈનેફોન કર્યો હતો. બાદમાં તે શખ્સ તેની પાસે રૂૂા. 3 લાખની માંગણી કરી હતી. તેણે પોતાની પાસે પૈસા નહિ હોવાનું જણાવતા ફરીથી છરી મારવાની ધમકી આપી હતી. આથી તેણે પોતાના ખીસ્સામાં રહેલા રૂૂા. 2500 તેને આપી દીધા હતાં. જયારે અજાણ્યા શખ્સ તેના ખિસ્સામાંથી પાકીટ કે જેમાં ત્રણ એટીએમ કાર્ડ હતાં. તે કાઢી લીધું હતું.

આ સમયે જયદિપસિંહ નામનો શખ્સ ત્યાં આવ્યો હતો. તેણે પણ સમાધાન પેટે રૂૂા. 1.50 લાખ આપવાનું કહ્યું હતું. તેને આટલી રકમ નહિ હોવાનું કહેતા બન્નેએ ધાકધમકી આપી હતી. બાદમાં જયદિપસિંહ તેનું ધ્યાન રાખવા ફલેટમાં રોકાયો હતો. જયારે અજાણ્યા શખ્સ પોતાની પાસે રહેલી છરી જયદિપસિંહને આપી તેના માતાના એટીએમ એકાઉન્ટમાં રહેલા 3600 રૂૂાપીયા, તેના એકાઉન્ટમાં ટ્રાન્ફર કર્યા બાદ એટીએમ કાર્ડ લઈ પૈસા ઉપાડી લીધા હતાં. જે અંગે તેણે સર્વપ્રથમ 10 હજાર અને બાદમાં 6500 રૂૂપીયા ઉપાડ્યાનો મેસેજ આવ્યો હતો. થોડીવાર બાદ અજાણ્યો શખ્સ પરત આવ્યો હતો. અને તેને તેના એટીએમ કાર્ડ પરત આપી દીધા હતાં. અને બન્નેએ વધુ પૈસા માટે દબાણ કરતાં ડરી ગયેલા અજયે તેને કટકે કટકે પૈસા આપીસ તેમ કહેતા બન્ને સહમત થયા હતાં. બાદમાં તેને ધક્કો મારી ફલેટમાંથી કાઢી મુકાયો હતો. જયદિપસિંહ તેને પૈસા માટે દબાણ કરતો હોય ગઈ તા.19.9નાં 500 અને 5000 મળી બે વખત તેના ગુગલ-પે એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતાં. બાદમાં તેને રોકડા 4500ઉપાડી આપ્યા હતાં. તા.23નાં 15 હજાર મળી અલગ અલગ સમયે રૂૂા.1.50 લાખ બળજબરીથી કઢાવ્યા હતાં. તેમજ આરોપી જયદિપસિંહ તેના તેની માતા અને કાકાના દિકરાનાં નંબર પર ફોન કરી પોલીસમાં કરેલી અરજી ને ફરીયાદ પાછી ખેંચી લેવા માંટે સતત દબાણ કરતો હતો. અને ફોન કરીને ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપતા અંતે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે માલવિયાનગર પોલીસે ત્રણેય આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત

સ્વાતિ પાર્કમાં કામધંધો ન ચાલતા આર્થિક ભીંસથી કંટાળી ઈલેક્ટ્રિકના વેપારીનો આપઘાત

Published

on

By

પરિવારજનો લગ્ન પ્રસંગમાં ગયા બાદ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું : એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી

શહેરમાં આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કરી લેવાના બનાવો બની રહ્યાં છે ત્યારે આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે. જેમાં કોઠારીયા વિસ્તારમાં આવેલા સ્વાતિપાર્કમાં રહેતા ઈલેકટ્રીકના વેપારીએ કામ ધંધો ન ચાલતાં આર્થિક ભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પરિવારજનો લગ્ન પ્રસંગમાં ગયા હતાં ત્યારે પાછળથી આ પગલું ભરી લીધું હતું. આ બનાવથી એકની એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા રોડ પર આવેલા સ્વાતિ પાર્ક શેરી નં.2માં રહેતા ધવલ રાજુભાઈ કોઠારી (ઉ.27) નામના યુવાને ગઈકાલે રાત્રે 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરે પંખા સાથે કપડુ બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 108ના ઈએમટી કરણભાઈએ જોઈ તપાસી મરણ જાહેર કરી પોલીસને જાણ કરતાં આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક ધવલ એક બહેનનો એકનો એક મોટો ભાઈ હોવાનું અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક ધવલે આઠેક મહિના પહેલા ઈલેકટ્રીકની દુકાન કરી હોય પરંતુ કામધંધો ચાલતો ન હોવાથી આર્થિક ભીંસ અનુભવતો હોય જેથી કંટાળી ગઈકાલે પત્ની અને પુત્રી માવતરે આંટો મારવા ગયા હોય અને અન્ય પરિવારજનો સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં હતાં. ત્યારે આ પગલું ભરી લીધું હતું. પરિવારજનો લગ્નમાંથી પરત ઘરે આવતાં દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ ધવલ દરવાજો ખોલતો ન હોય જેથી દરવાજો તોડતા તેનો લટકતો મૃતદેહ જોઈ પરિવારજનો હતપ્રભ બની ગયા હતાં. આ બનાવથી માસુમ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Continue Reading

ગુજરાત

કૂવામાં પાણી જોવા ગયેલી યુવતીને કાળ ખેંચી ગયો

Published

on

By

વહેલી સવારે યુવતી બહેન સાથે વાડીએ પાણી વાળવા જતા પાણી બંધ થતા કૂવામાં જોવા ગઇને અંદર પડી

જામનગર રોડ પર ન્યારા ગામ પાસે આવેલી વાડીમાં પાણી વાળતી વખતે અકસ્માતે કુવામાં પડી જતા પરપ્રાંતીય યુવતીનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવમાં જ્યારે તેની બહેન કુવામાં જોવા ગઈ ત્યારે બહેન કૂવામાં પડી ગઈ હોવાનું માલુમ પડ્યું હતું.બાદમાં ફાયર બ્રિગેડના સ્ટાફે ચાર કલાકની જહેમત બહાર યુવતીનો મૃતદેહ બહાર કઢાયો હતો.

વધુ વિગત મુજબ,મુળ મધ્યપ્રદેશ હાલ રાજકોટ જામનગર રોડ પર ન્યારા ગામ પાસે જેઠુરભાઇ રાઠોડની વાડીએ મજુરીકામ કરતા પરિવારની કરમા જેમલભાઇ વાસકડીયા(ઉ.વ.20) આજે વહેલી સવારે તેની બહેન સવીતા સાથે વાડીમાં પાણી વાળવા માટે ગઇ હતી.કુવાની મોટર ચાલુ કરતા નળીમાં પાણી આવતુ ન હોઇ તેથી કરમા કુવા પાસે જતા તેમનો પગ લપસી જતા કૂવામાં પડી ગઇ હતી.બાદમાં બહેન કરમાનો અવાજ સાંભળી બહેન સવીતા કુવા પાસે આવીને જોતા કરમા કુવામાં પડી ગઇ હોવાની ખબર પડતા દેકારો કરી મુકતા ત્યાં પરિવારજનો દોડી આવ્યા હતા.

બાદમાં બનાવ અંગે કોઇએ ફાયરબ્રિગેડને જાણ કરતા રેલનગર ફાયરબ્રિગેડ સ્ટેશનના ફાયરમેન વનરાજસિંહ પરમાર તથા વિજયભાઇ, રાહુલભાઇ મુનીયા અને રાજેશભાઇ આંબલીયા સહિતે ઘટના સ્થળે પહોંચી ચાર કલાકની જહેમત બાદ યુવતીને બેભાન હાલતમાં કુવામાંથી બહાર કાઢી હતી. બાદ 108 માં જાણ કરતા 108ની ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરી તબીબે યુવતીને મૃતજાહેર કરી હતી.પોલીસને બનાવની જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકના જયશ્રીબેન ડાંગર અને સ્ટાફ બનાવ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી.મૃતક કરમા ત્રણ બહેન અને એક ભાઇમાં વચેટ હતી તેના પિતા અને માતા મજુરી કામ કરે છે યુવતીના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

Continue Reading

ગુજરાત

રાજકોટના તત્કાલીન ડીસીપી પ્રવીણકુમાર મીણા અને અચલ ત્યાગીની CBIમાં નિમણૂક

Published

on

By

ગુજરાત કેડરના વધુ બે IPS અધિકારીઓની CBIમાં નિમણૂક કરવામાં આવી છે. અચલ ત્યાગી 2015 બેન્ચના અધિકારીની સીબીઆઈમાં નિમણૂક કરાઈ છે, જ્યારે IPS પ્રવિણ કુમાર 2016 બેન્ચના અધિકારીની પાંચ વર્ષ માટે સીબીઆઈમાં નિમણૂક કરવામાં આવી છે. અચલ ત્યાગી મહેસાણા જિલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે IPS પ્રવિણ કુમાર મીણા આણંદ જિલ્લા પોલીસવડા હતા.

IPS પ્રવિણ કુમાર સૌ પ્રથમ ગીર સોમનાથ જિલ્લામાં તલાલા ગીર ખાતે તેમના પ્રોબેશન સમય દરમિયાન ફરજ બજાવી હતી. બાદમાં દોઢ વર્ષ સુધી વિરમગામ ખાતે એએસપી તરીકે બાદમાં તેમની નિમણૂંક રાજકોટ ડીસીપી ઝોન-1 માં થઈ હતી. ત્યાં તેમણે તેમની ફરજની સાથે ડીસીપી ટ્રાફિક અને સાયબર ક્રાઇમનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો.

પ્રવિણકુમાર મૂળ રાજસ્થાનના અલવરના વતની છે. પ્રવિણકુમારના પિતા પણ ઈન્ડીયન રેવન્યુ સર્વીસમાં પુનામાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. આ કારણે તેમણે પ્રાથમિક શિક્ષણ પૂના ખાતે અને ધોરણ 12 સુધીનો અભ્યાસ મુંબઈ ખાતે કર્યો હતો. બાદમાં તેમણે ઈંઈંઝ બોમ્બે ખાતેથી બી.ટેક અને એમ.ટેક.માં મિકેનિકલ એન્જિનિયરિંગની પદવી મેળવી હતી. વર્ષ 2011માં તેઓએ યુપીએસસીની તૈયારીઓ શરૂૂ કરી, જેમાં તેઓને વર્ષ 2016માં સફળતા મળતા તેઓ આઇપીએસ અધિકારી બન્યાં હતાં.

Continue Reading

Trending