Site icon Gujarat Mirror

પોતાના દમ પર લડવાની હિંમત હોય તેમનો હાથ હંમેશ ઉપર રહે છે: મોદી

ગોવાકાંઠે સ્થિત આઇએનએસ વિક્રાંત પર જઈ સૈનિકો સાથે દિવાળી ઉજવી પરંપરા જાળવી રાખતા પીએમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશની જેમ દેશના સૈનિકો સાથે દિવાળી ઉજવી. આ વખતે, પીએમ મોદીએ દિવાળી ઉજવવા માટે ગોવા અને કારવારના દરિયા કિનારે સ્થિત ઈંગજ વિક્રાંતને પસંદ કર્યું. સૈનિકોને સંબોધતા તેમણે કહ્યું કે ભારતીય સેના, વાયુસેના અને ભારતીય નૌકાદળ વચ્ચેના સંકલનથી પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરમાં શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી.

નૌકાદળના કર્મચારીઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે જેમની પાસે પોતાના દમ પર લડવાની હિંમત હોય છે તેમનો હંમેશા ઉપર રહે છે. તેમણે કહ્યું, ઓપરેશન સિંદૂરમાં ત્રણેય સેવાઓની ભાગીદારીએ સાબિત કર્યું કે આપણી સેના સૌથી મજબૂત છે, અને આપણા બહાદુર સૈનિકોએ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું. જ્યારે દુશ્મન હાજર હોય અને યુદ્ધ નિકટવર્તી હોય, ત્યારે જેમની પાસે પોતાના દમ પર લડવાની હિંમત હોય છે તેઓ હંમેશા ઉપર હોય છે. તેમણે જણાવ્યું કે હિંદ મહાસાગરમાં આપણા નૌકાદળની ભુમિકા એક વાલીની છે.
2014માં વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી, પીએમ મોદી સશસ્ત્ર દળોના સૈનિકો સાથે દિવાળી ઉજવી રહ્યા છે. 2014માં, તેમણે લદ્દાખમાં સિયાચીન ગ્લેશિયરમાં તૈનાત સૈનિકો સાથે પ્રકાશના ઉત્સવની મુલાકાત લીધી. 2015માં, તેમણે 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધના નાયકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પંજાબના અમૃતસરમાં ડોગરાઈ યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી.

2016માં, પ્રધાનમંત્રીએ દિવાળી પર હિમાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદ નજીક સરહદ સુરક્ષા દળ અને સૈન્યના જવાનો સાથે મુલાકાત કરી. પછીના વર્ષે, તેમણે જમ્મુ અને કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં સુરક્ષા દળોની મુલાકાત લીધી. 2018માં, પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના હર્ષિલમાં ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ કર્મચારીઓ સાથે દિવાળી ઉજવી હતી. 2019માં, તેમણે જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સૈનિકોની મુલાકાત લીધી હતી.
2020માં, પ્રધાનમંત્રી રાજસ્થાનના લોંગેવાલામાં હતા. 2021માં, પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરના નૌશેરામાં સૈનિકો સાથે દિવાળી ઉજવી હતી. 2022માં, પ્રધાનમંત્રી મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કારગિલની મુલાકાત લીધી હતી. 2023 અને 2024માં, તેમણે હિમાચલ પ્રદેશના લેપ્ચા અને ગુજરાતના સર ક્રીકમાં તૈનાત સૈનિકો સાથે દિવાળી ઉજવી હતી.

કારવારના દરિયા કિનારે ઈંગજ વિક્રાંત પર દિવાળીની ઉજવણી કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, નસ્ત્રહું ભાગ્યશાળી છું કે આ વખતે હું નૌકાદળના બધા બહાદુર સૈનિકો વચ્ચે દિવાળીનો આ પવિત્ર તહેવાર ઉજવી રહ્યો છું.

ગઈકાલે INS વિક્રાંત પર મેં જે રાત વિતાવી તેનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે. મેં તમારા બધામાં અપાર ઉર્જા અને ઉત્સાહ જોયો. ગઈકાલે, જ્યારે મેં તમને દેશભક્તિના ગીતો ગાતા જોયા અને તમે તમારા ગીતોમાં ઓપરેશન સિંદૂરનું જે રીતે વર્ણન કર્યું… ત્યારે યુદ્ધના મેદાનમાં ઉભેલા સૈનિકના અનુભવનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે.

Exit mobile version