Site icon Gujarat Mirror

થિયેટરમાં નાસભાગ: પુષ્પાની ફરી પૂછપરછ, સીનનું રિક્ધસ્ટ્રકશન

પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગના કેસમાં આજે અલ્લુ અર્જુનની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે મોડી રાત્રે તેને નોટિસ મોકલી હતી.

અલ્લુ અર્જુન ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન પહોંચી ગયો છે. જતા પહેલા તે તેની પુત્રી આરાહને વ્હાલ કરતો જોવા મળ્યો . પોલીસે અલ્લુ અર્જુનના રિલેટિવ્સને અલર્ટ રહેવા કહ્યું છે કારણ કે 22 ડિસેમ્બરે અલ્લુ અર્જુનના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી. આ પહેલા અલ્લુ અર્જુનની આ કેસમાં 10 ડિસેમ્બરે પૂછપરછ કરવામાં આવી હતી.
તેલંગાણા કોંગ્રેસના સિનિયર નેતા થેનામર મલ્લાનાએ પુષ્પા-2ના એક સીન અંગે અલ્લુ અર્જુન, ડિરેક્ટર સુકુમાર અને પ્રોડ્યુસર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ સીનમાં એક્ટર સ્વિમિંગ પુલમાં પેશાબ કરતો જોવા મળે છે અને એક પોલીસ ઓફિસર પણ પૂલમાં હાજર છે. મલ્લાનાએ કહ્યું કે આ દ્રશ્ય પોલીસ અધિકારીઓની ગરિમા વિરુદ્ધ છે.
પોલીસ એક્ટરને સંધ્યા થિયેટર લઈ જઈ શકે છે પોલીસે કહ્યું છે કે પૂછપરછ દરમિયાન વાસ્તવિક હકીકતો જાણવા માટે તેમને ઘટના સ્થળ (સંધ્યા થિયેટર) પર પણ લઈ જઈ શકાય છે. આ સિવાય સીનને રિક્રિએટ કરવાની પણ શક્યતા છે.

એક્ટરને પુછવામાં આવ્યું હતું કે શું મેનેજમેન્ટે તમને પહેલા કહ્યું હતું કે સંધ્યાએ થિયેટરમાં ન આવવું જોઈએ? – શું તમને સંધ્યા થિયેટરના પ્રીમિયર શોમાં આવવાની પરવાનગી મળી હતી? શું તમારી પાસે તેની નકલ છે? – શું તમે અથવા તમારી પીઆર ટીમે પોલીસ પાસેથી ક્લિયરન્સ લીધું હતું? – શું તમારી પીઆર ટીમે તમને સંધ્યા થિયેટરની આસપાસની પરિસ્થિતિ વિશે પહેલેથી જ જાણ કરી હતી? – તમે કેટલા બાઉન્સરની વ્યવસ્થા કરી હતી?

Exit mobile version