Connect with us

jamnagar

સરકારી ઓડિટ વિભાગે જામનગર મહાનગરપાલિકાની પોલ પકડી લીધી

Published

on

જામનગર મહાનગરપાલિકા કાયમ માટે અધિકારીઓ અને કર્મચારીઓની અછત અનુભવતી સંસ્થા છે. જેને લઈને આ સંસ્થાએ ઘણાં બધાં કિસ્સાઓમાં ઘણાં બધાં અધિકારીઓ અને કર્મચારીઓને વયનિવૃતિ પછી કરીથી નિયુક્તિઓ આપવી પડે છે. આ પ્રકારની નિયુક્તિઓ સંસ્થાની લગભગ બધી જ શાખાઓમાં જોવા મળે છે. ખુદ કમિશનરના કાર્યાલયમાં તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના સેક્રેટરી સહિતના સંખ્યાબંધ અધિકારીઓ અને કર્મયારીઓને પુન:નિયુક્તિઓ આપવી પડે છે. અને એમાંયે સંવેદનશીલ મુદ્દો એ છે કે, આ પ્રકારની પુન:નિયુક્તિઓ વખતે કોર્પોરેશનના સંબંધિત વિભાગો નિયમોને બાજુ પર મૂકી દે છે અને મનમાની રીતે જ બધું ચાલતું રહે છે. આખરે આ મામલો હવે સમાચાર બન્યો છે, કેમ કે ઓડિટમાં વાંધાઓ નીકળી પડ્યા છે. અને સંબંધિતો પાસેથી નાણાંની રિકવરી એટલે કે અંગત વસૂલાતના હુકમો છૂટયા છે. સરકારનો એક નિયમ એવો છે કે, નિવૃત અધિકારી કે કર્મચારીને કરીથી કામ પર રાખતી વખતે, સરકારની પૂર્વ મંજૂરી લેવી બધાં જ કિસ્સાઓમાં ફરજિયાત છે, મંજુરી સિવાય પુન: નિયુક્તિ થઇ શકે નહિ, આમ છતાં જામનગર મહાનગરપાલિકામાં આ નિયમનો ભંગ હમણાંથી નહિ કેટલાય વર્ષોથી કરવામાં આવે છે. વગે વાવણાં થાય છે અને લાગતાં વળગતાંઓને સાચવી લેવામાં આવે છે અને કરદાતાઓની તિજોરીમાંથી વેતન ચૂકવ્યે રાખવામાં આવે છે ! કોના બાપની દીવાળી, એ કહેવત અનુસાર. આ પ્રકારના બેચાર નહીં, પૂરાં 28 કેસ ઓડિટ વિભાગના ધ્યાન પર આવ્યા. એ પણ કોર્પોરેશનનો ઓડિટ વિભાગ તો કશું બોલ્યો જ નહીં, રાજય સરકારના ઓડિટ વિભાગ લોકલ ફંડ ઓફિસએ કોર્પોરેશનનું ધ્યાન દોરવું પડયું. ત્યાં સુધી કોર્પોરેશનમાં લાલિયાવાડી ચાલતી રહી!
જામનગરની લોકલ ફંડ ઓડિટ ઓફિસના ઓડિટ ઓફિસરે જાહેર કર્યું છે કે, કોર્પોરેશનના 8 કર્મચારીઓની પુન:નિયુક્તિઓ અંગેનું રેકર્ડ ચકાસવામાં આવ્યું છે. તથા અન્ય 19 કર્મચારીઓની વિગતો ચૂક્વેલ પગારો પરથી ધ્યાનમાં આવી છે. ઓડિટમાં જણાયું છે કે, સરકારની પૂર્વ મંજૂરી વિના જ આ તમામ નિયુક્તિઓ કરવામાં આવી છે. આ માટેના જવાબો સંબંધિત કર્મચારીઓ પાસેથી મેળવવામાં આવ્યા છે. વધુમાં એમ પણ કહેવાયું છે કે, છેલ્લા બે વર્ષની ખાતાકીય તપાસ અંગેની વિગતો ઓડિટ વિભાગ સમક્ષ રજૂ કરવામાં આવી નથી. પૂરતું રેકર્ડ ઓડિટ વિભાગને આપવામાં આવ્યું ન હોય, રેકર્ડની યોગ્ય ચકાસણીઓ હજૂ પણ થઈ શકી નથી. આથી આ તમામ 27 કર્મચારીઓને કોર્પોરેશન દ્વારા ચૂકવવામાં આવેલી કુલ રકમ રૂા. 30,54,406 હાલ વાંધા હેઠળ મૂકવામાં આવી છે જેની ભવિષ્યમાં અંગત વસૂલાત પણ થઈ શકે.
આ 27 કર્મચારીઓના નામો આ પ્રમાણે છે: પી.આર.પરમાર, એચ.વી.શ્રીમાળી, એન.બી.શાહ, જે.કે.સંધાણી, આર.જે.ચૌહાણ, આઈ.કે.ધાણીદાર, બી.જે.પોબારુ, એસ.ઝાલા, એન.જી.માખોડિયા, વી.ડી.ચોવટીયા, જી.કે.પરમાર, એમ.આર.સોલંકી, એન.આર. સોલંકી, એચ.કે.મહેતા, બી.વી. વઢવાણા, આર.એન.ચૌહાણ, કિશોર પુંજાણી, એ.જી.ગોહિલ, એન.ડી,ગોસાઈ, એચ.ડી.હાથિયા, કે.ડી,.રાઠોડ, ડી.એસ.મકવાણા, આર.બી.જાડેજા, પી.એચ.સમા, ડી.એમ.ગોહિલ, બી.સી.પરમાર અને એમ.એ.ગોસાઇ.
આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના સેક્રેટરી અશોક બી.પરમારના કેસમાં પણ લોકલ ફંડ ઓડિટની રાજકોટ કચેરીએ વાંધો ઉઠાવ્યો છે અને તેઓને ચૂકવવામાં આવેલી રૂા. 6,84,651ની રકમ વાંધા હેઠળ મૂકી દીધી હોવાનું સૂત્ર જણાવે છે. આ કર્મચારી નેતાઓના પ્રીતિપાત્ર હોવાથી તેઓની પુન:નિયુક્તિમાં પણ ખામીઓ બહાર આવી છે. તેઓની પુન:નિયુક્તિમાં પણ સરકારના નિયમોનો છડેચોક ભંગ કરવામાં આવ્યો હોવાનું લોકલ ફંડ ઓડિટ વિભાગના પેરામાં જોવા મળે છે. તેઓના કેસમાં છેલ્લા 10 વર્ષના ખાનગી અહેવાલ અને છેલ્લા બે વર્ષની ખાતાકીય તપાસની વિગતો રજૂ થઈ ન હોવાનું જાણવા મળે છે. તેઓને ડેપ્યુટી સેક્રેટરી તરીકે નિયુક્તિ આપવાને બદલે સેક્રેટરી તરીકે પુન:નિયુક્તિ આપવાના મુદ્દે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે.
આ કર્મચારીની નિમણૂંકના હુકમમાં ઠરાવ મુજબ જે 14 શરતો દર્શાવવી પડે તે પણ દર્શાવવામાં આવી નથી. તેઓને પ્રથમ વખત જયારે પુન:નિયુક્તિ આપવામાં આવી તે અંગેની અરજી પણ કામની ફાઈલમાં સામેલ કરવામાં આવી નથી એવું પણ લોકલ ફંડ ઓડિટ વિભાગે કહ્યું છે. તેઓની પુન:નિયુક્તિનો તાત્કાલિક અંત લાવવા પણ કહેવાયું છે. તેઓને વર્ષ 2020-21, 2021- 22 તથા વર્ષ 2022-23 દરમિયાન ચૂકવવામાં આવેલી રૂપિયા પોણા સાત લાખથી વધુની રકમ હાલ વાંધા હેઠળ મૂકી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ બધી ખામીઓ લોકલ ફંડ ઓડિટ વિભાગની તપાસમાં જેતે સમયે બહાર આવેલી, ત્યાં સુધી જામનગર કોર્પોરેશનની ઓડિટ શાખા મૌન રહી આ ઉપરાંત લોકલ ફંડ ઓડિટ વિભાગ પણ હાલમાં આ સમગ્ર પ્રકરણમાં તથા પોતાની ફરજોમાં હોતી હૈ, ચલતી હૈ ની નીતિ અખત્યાર કરતો હોય એવું દેખાઈ રહ્યું છે. આ વિભાગના કેટલાંક કર્મચારીઓ જામનગર કોર્પોરેશનની ઓફિસમાં જ બેસે છે. તેઓ પણ કોર્પોરેશનના ઓડિટ વિભાગ માફક જ ગાડું ગબડાવતાં હોવાનું સૂત્ર જણાવે છે.
આ ઉપરાંત એવું પણ જાણમાં આવ્યું છે કે, કમિશનરના તત્કાલીન પી.એ. બિપીન પરમારના કેસમાં પણ પુન:નિયુક્તિ સંદર્ભે આ પ્રકારની સ્થિતિ હોવાનું કહેવાય છે અને તેઓના કેસમાં પણ અમુક ચોક્કસ રકમ વાંધા હેઠળ મૂકવામાં આવી હોવાનું તથા તેઓની પુન:નિયુક્તિમાં પણ નિયમોને તાક પર મૂકી દેવામાં આવ્યા હોવાનું સૂત્ર કહે છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

jamnagar

શેખપાટ ગામમાં 70 વર્ષના વૃધ્ધનું વીજઆંચકો લાગતાં અપમૃત્યુ

Published

on

જામનગર તાલુકાના શેખપાટ ગામમાં રહેતા 70 વર્ષના બુઝુર્ગને પોતાના ઘરે ઈલેક્ટ્રીક લેમ્પ બદલાવતી વેળાએ અચાનક વીજ આંચકો લાગ્યો હતો, અને તેઓનું સ્થળ પર જ મૃત્યુ નીપજયું હતું. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના શેખપાટ ગામમાં રહેતા ગોકરભાઈ ભીમાભાઇ ચાવડા નામના 70 વર્ષના સતવારા જ્ઞાતિના બુઝુર્ગ કે જેઓ પોતાની વાડીની ઓરડી પાસે લેમ્પ બદલાવવાનું કામ કરતા હતા, જે દરમિયાન પોતાને ઇલેક્ટ્રીક લેમ્પ બદલાવતી વખતે એકાએક વીજ આંચકો લાગતાં તેઓ બેભાન થઈને નીચે પટકાઈ પડ્યા હતા. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જયાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર કરમશીભાઈ ગોકરભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading

jamnagar

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને ઠેબા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ

Published

on

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકાના ઠેબા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેઓએ કહ્યું હતું કે, “વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સમગ્ર દેશ વિકાસ માટે એકજુથ બની રહ્યો છે, અને નાગરિકો પોતાના અધિકારો માટે જાગૃત બની રહ્યા છે”.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ માર્ગદર્શન તળે ગત તા.15મી નવેમ્બરના રોજ જનજાતીય ગૌરવ દિવસ થી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 30 લાખ જેટલા નાગરિકો સહભાગી બન્યા છે, અને વિવિધ યોજનાઓ વિષે જાણકારી મેળવી શક્યા છે. જે અંતર્ગત, સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકાના ઠેબા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ અને સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં 15 દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 30 લાખ લોકો જોડાયા છે, અને તેઓ વિવિધ સરકારી યોજનાઓથી લાભાન્વિત બની રહ્યા છે. કાર્યક્રમમાં સમાવિષ્ટ સંકલ્પ રથનું નામ બદલીને તેને ”મોદીજીની ગેરેન્ટી વાળી ગાડી” આવા નવા નામથી નાગરિકો તેને ઓળખી રહયા છે. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું સપનું સૌએ ભેગા મળીને સાકાર કરવાનું છે.
ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમ થકી દેશભરના નાગરિકો સાથે જોડાયા હતા. તેમજ દેશભરમાંથી વિવિધ યોજનાઓના 5 લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાનશ્રીના હસ્તે દેશભરમાં 25,000 નવા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનું ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, અને 10,000મા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનો ઝારખંડ રાજ્યના દેવઘર જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાનશ્રી દ્વારા નમો ડ્રોન દીદી કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે, જેના થકી મહિલા ખેડૂતોને ડ્રોન ચલાવવા અંગે તાલીમ આપવામાંં આવશે.
સાંસદ અને અન્ય મંચસ્થ મહાનુભાવોના હસ્તે ઠેબા ગ્રામ પંચાયતને હર ઘર જલ યોજના અંતર્ગત હર ઘર જલ અભિનંદન પત્ર અને સ્વામિત્વ યોજના હેઠળ રેકોર્ડ ડીઝીટલાઈઝેશનના પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ મહાનુભાવો દ્વારા વિવિધ યોજનાઓની જાણકારી આપતા સ્ટોલ્સની મુલાકાત લેવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઠેબા પ્રાથમિક શાળાના વિધાર્થીઓ દ્વારા “ધરતી કરે પુકાર- પ્રાકૃતિક કૃષિ” વિષય પરનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મેરી કહાની મેરી જુબાની સાફલ્ય ગાથા કાર્યક્રમમાં લાભાર્થીઓએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ થકી તેઓને મળેલા લાભો અંગે પોતાના અનુભવ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, શ્રમિક અન્નપૂર્ણા યોજના અને અન્ય યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રોનું વિ તરણ કરવામાં આવ્યું હતું.
સમારોહના અંતે આભારવિધિ જામનગર તાલુકા વિકાસ અધિકારીશ્રી સરવૈયાભાઈએ કરી હતી. આ કાર્યક્રમમાં, જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, જિલ્લા કલેકટર બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગઢવી, પ્રાંત અધિકારી (ગ્રામ્ય) ડોબરીયા, જામનગર તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન દુધાગરા, કારોબારી સમિતિના ચેરમેન ચંપાબેન પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયા, નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લ, આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીઓ, લાભાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Continue Reading

jamnagar

ધો.11ના છાત્ર પર સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરી મોતને ઘાટ ઉતાર્યો

Published

on

જામનગરમાં મોહન નગર આવાસમાં રહેતા અને 11 માં ધોરણમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થી નું ગઈકાલે અપહરણ થયું હતું આ અંગે તરૂૂણ નાં પિતા દ્વારા અપહરણની ફરિયાદ નોંધાવાઈ હતી. જે મામલામાં પોલીસે સીસીટીવી કેમેરાઓ ચેક કર્યા પછી તપાસ નો ધમધમાટ શરૂૂ કર્યો હતો.દરમ્યાન આજે આ તરૂૂણ નો અર્ધ સળગેલી હાલત મા મૃતદેહ મળી આવ્યો હતો. તેની ગળેટૂંપો આપી હત્યા નીપજાવાયા પછી મૃતદેહ ને સળગાવી નાખવામાં આવ્યો હતો. આખરે સમગ્ર પ્રકરણ નો ભાંડો ફૂટી જવા પામ્યો છે. અને મૃતક નાં જ બે અંગત મિત્રોએ આ કૃત્ય આચર્યું હોવાથી પોલીસે બંને ની ધરપકડ કરી છે.
આ સનસનીખેજ બનાવ ની વિગત એવી છે કે જામનગરમાં મોહનનગર આવાસના બિલ્ડીંગ નંબર 15 માં બ્લોક નંબર 302 માં રહેતા અને કેટરર્સ તરીકે નોકરી કરતા ગોપાલભાઈ વલ્લભભાઈ પીઠડીયા ના 17 વર્ષના પુત્ર હાર્દિક નું ગઇકાલે અપહરણ થયું હતું. 11 માં ધોરણમાં અભ્યાસ કરતો ગોપાલભાઈ નો પુત્ર હાર્દિક સ્કૂલે જવા માટે નીકળ્યો હતો, જે એકાએક લાપતા બન્યો હતો, અને સ્કૂલના ડ્રેસ અને દફતર સાથે જ ગાયબ થયો હતો. પરિવારજનો દ્વારા ભારે શોધખોળ પછી પણ તેનો પતો નહીં સાંપડતા આખરે પોલીસ નો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને માતા ઉષાબેન ગોપાલભાઈ પીઠડિયા ની ફરિયાદ નાં આધારે અપહરણ અંગેનો ગુનો દાખલ કરાવ્યો હતો.
બીજી તરફ આજે સવારે હાર્દિક નો અર્ધ સળગેલી હાલત મા મૃતદેહ સુવરડા અને બે ભાઈ ડુંગર વિસ્તાર માથી મળી આવ્યો હતો. આથી પોલીસ પણ સ્તબ્ધ બની ગઈ હતી.અને તપાસ ને વેગ આપ્યો હતો.પોલીસ તપાસ મા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને આકર્ષણ નાં કારણે તેના જ બે મિત્રો સુભમ નિલેશભાઈ પરમાર (24) અને ખુશાલ મનીષભાઈ બારડ (22) એ પ્રથમ અપહરણ કર્યું હતું.અને તેની ગળા ટુંપો આપી હત્યા નિપજાવી હતી.
ઉપરાંત તેને કોઈ પ્રવાહી વાળું ઇન્જેક્શન આપી તેના મૃતદેહ ને પેટ્રોલ છાંટી સળગાવ્યો હતો.
આ સમગ્ર પ્રકરણ નો ભેદ ઉકેલવામાં પોલીસ ને સફળતા મળી છે. અને બંને આરોપીઓ ની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ મામલાની પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, અને મોહન નગર આવાસના બિલ્ડીંગના સીસીટીવી કેમેરા ચેક કરતાં ત્યાંથી જ એક બાઈકમાં બાળકનું અપહરણ કરી લેવાયું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.આથી પોલીસે તે દિશા મા તપાસ નો ધમધમાટ શરૂૂ કરી બાઈક ઉપર હાર્દિક ને સાથે લઈ જનાર બંને ની પોલીસે ઓળખ મેળવી તેની શોધી કાઢ્યા હતા.અને બંને ને ઝડપી લેવાયા પછી પુછપરછમાં સમગ્ર બનાવ નો ભાંડો ફૂટી જવા પામ્યો હતો.મૃતક હાર્દિક સાથે તેના બંને મિત્રો આકર્ષણ ધરાવતા હતા અને સૃષ્ટિ વિરૂૂદ્ધ નું કૃત્ય કરતા હોવાનું પણ અનુમાન લગાવાયું છે. ગઇકાલે પણ આ માટે જ હાર્દિક ને પોતાના બાઈક મા ઉપાડી ગયા હતા.જયાં આનાકાની થતા બંને મિત્રો એ જ હાર્દિક ને કોઈ ઈન્જેકશન આપ્યા પછી ગળાટુંપો આપી હત્યા નિપજાવી, પુરાવા નો નાશ કરવા માટે મૃતદેહ ને પેટ્રોલ છાંટી ને સળગાવી નાખ્યો હતો.
આખરે પોલીસે સમગ્ર બનાવ ઉપર થી પડદો ઊંચકી નાખી બંને આરોપીઓ ની ધરપકડ કરી છે.

Continue Reading

Trending