Site icon Gujarat Mirror

ભારતને હરાવવાની મજા જ અલગ છે, શ્રેણી જીત્યા બાદ હેરી બ્રૂકનું નિવેદન

ભારતીય ક્રિકેટ ટીમ સામેની પાંચ મેચોની ટી20 ઇન્ટરનેશનલ સિરીઝમાં ઇંગ્લેન્ડે 3-0થી અજેય લીડ મેળવીને સિરીઝ પર કબજો કરી લીધો છે. ત્રીજી ટી20 મેચમાં માત્ર 35 બોલમાં 79 રનની તોફાની ઇનિંગ રમીને પોતાની ટીમને જીત અપાવનાર ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રૂકને ’પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યા હતા. આ શાનદાર જીત અને સિરીઝ કબજે કર્યા બાદ કેપ્ટન હેરી બ્રૂક ખૂબ જ ઉત્સાહિત દેખાયા હતા અને તેમણે મેચ બાદ ટીમ ઇન્ડિયાને હરાવવા અંગે એક મોટું નિવેદન આપ્યું હતું.

મેચ બાદ વાતચીત કરતા કેપ્ટન હેરી બ્રૂકે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “હા, આજે રાત્રે મેચ રમવાની ખૂબ મજા આવી. ભારતને હરાવવું હંમેશા ખૂબ જ સારું લાગે છે, કારણ કે તેઓ ઘણા વર્ષોથી એક અત્યંત મજબૂત ટીમ રહ્યા છે. સિરીઝમાં હજી એક મેચ બાકી છે અને તે પહેલાં જ અમે ભારતને 3-0થી હરાવી દીધું છે, જેનાથી અમારી ટીમ ખૂબ જ ખુશ છે.” પોતાની બેટિંગ વિશે વાત કરતા બ્રૂકે કહ્યું કે કોચ સાથેની વાતચીતથી તેમને પિચ પર બોલને ક્યાં ફટકારવો તેની મદદ મળી અને તેમણે પિચની ગતિ (પેસ)નો યોગ્ય ઉપયોગ કર્યો હતો. જ્યારે હેરી બ્રૂકને પૂછવામાં આવ્યું કે જો ઇંગ્લેન્ડ ભારતને 4-0થી હરાવશે તો તે દુનિયાની નંબર વન ટી20 ટીમ બની શકે છે, ત્યારે તેમણે હસતાં હસતાં સ્વીકાર્યું કે, “જો હું સાચું કહું તો, દુનિયાની નંબર વન ટીમ બનવું ખૂબ જ શાનદાર હશે. આ ચોક્કસપણે અમારું આગામી લક્ષ્ય છે.

અમે આ સિરીઝમાં અત્યાર સુધી જે પ્રદર્શન કર્યું છે તેને જ આગળ ચાલુ રાખીશું, અમારી યોજનાઓ પર અડગ રહીશું અને આશા છે કે અમે ભારત સામે 4-0થી જીત મેળવીશું.” તેમણે ઇંગ્લેન્ડની જીત પાછળ બેટિંગ લાઇનઅપની ઊંડાઈ (ડેપ્થ) અને જોફ્રા આર્ચર તેમજ જોશ ટંગ જેવા ફાસ્ટ બોલરોના શાનદાર પ્રદર્શનને મુખ્ય કારણ ગણાવ્યું હતું. કરો યા મરો વાળી મેચમાં ભારતીય ટીમની શરુઆત ખુબ ખરાબ રહી હતી અને ટોપ ઓર્ડર પુરી રીતે ફ્લોપ રહ્યો હતા. કેપ્ટન શ્રેયસ અય્યરે મોર્ચાની આગેવાની કરતા 49 બોલમાં અણનમ 80 રનની ઈનિગ્સ રમી હતી. અય્યરની મોટી ઈનિગ્સે ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 158નો સ્કોર કર્યો હતો.પરંતુ ભારતીય બોલરના નબળા પ્રદર્શનને કારણે આ સ્કોર ઘણો નાનો લાગ્યો.

Exit mobile version