Site icon Gujarat Mirror

ભડકે બળતા મણિપુરમાં બીજા દિવસે પણ આગ ઠરવાનું નામ નથી લેતી

મણિપુરના ઉખરુલમાં તંગખુલ નાગા સમુદાયના સભ્ય પર કથિત હુમલાને લઈને હિંસાના નવા હુમલામાં, મંગળવારે સવારે ઘણા ત્યજી દેવાયેલા ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી અને ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેના કારણે રાજ્ય સરકારે જિલ્લામાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી હતી, પોલીસે જણાવ્યું હતું.

લિટન સારાઈખોંગ વિસ્તારમાં તાંગખુલ નાગાના બે સંગઠનોએ ઉખરુલ અને કામજોંગ જિલ્લામાં કુકીઓની હિલચાલ પર પ્રતિબંધ મૂક્યાના એક દિવસ પછી નવા ગોળીબાર અને આગચંપી થઈ છે.
સશસ્ત્ર માણસોએ ત્યજી દેવાયેલા ઘરોને આગ ચાંપી દીધી અને લિટન સારાખોંગ પર અનેક રાઉન્ડ ગોળીઓ ચલાવી. પરિસ્થિતિ તણાવપૂર્ણ છે, અને સુરક્ષા દળો પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે,” એક પોલીસ અધિકારીએ જણાવ્યું.

ઉલ્લેખનીય છે કે મણિપુરના ઉખરુલ જિલ્લામાં ફરી એકવાર હિંસા શરૂૂ થતા ખભળટા મચી ગયો છે. સોમવાર બપોરે લિટાન સારેઈખોંગ ગામમાં હથિયારધારી બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી દેવાની ઘટના સામે આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પહાડી વિસ્તારોમાં સશસ્ત્ર જૂથોએ હવામાં આડેધડ ગોળીબાર કરતા સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. સ્થિતિ એવી ગંભીર બની ગઈ છે કે, મોટી સંખ્યામાં ગ્રામીણો પોતાના ઘરો છોડી પડોશી કાંગપોકપી જિલ્લામાં પલાયન થવા મજબૂર બન્યા છે.

હિંસાની શરૂૂઆત શનિવારે રાત્રે થઈ હતી, જ્યારે તંગખુલ નાગા સમુદાયના એક સભ્ય પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ખેમચંદ સિંહે સોશિયલ મીડિયા દ્વારા તમામ સમુદાયોને સંયમ રાખવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે હોસ્પિટલ જઈને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. હાલ મહાદેવ, લંબુઈ અને લિટાન તરફ જતા માર્ગો પર વધારાના સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે.

Exit mobile version