Site icon Gujarat Mirror

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સાથે જ દેશને સાચી આઝાદી મળી: ભાગવત

અભિષેકની તારીખને પ્રતિષ્ઠા દ્વાદશી તરીકે ઉજવવા આહ્વાન

 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે અયોધ્યામાં ભગવાન રામના મંદિરના અભિષેકની તારીખને પ્રતિષ્ઠા દ્વાદશી તરીકે ઉજવવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે ભારત ઘણી સદીઓથી દુશ્મનોના હુમલાનો સામનો કરી રહ્યું છે. આ દિવસે જ દેશને સાચી આઝાદી મળી હતી. Mohan Bhagwatએં ઈન્દોરમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને રાષ્ટ્રીય દેવી અહિલ્યા પુરસ્કાર અર્પણ કર્યો.

હિન્દુ કેલેન્ડર મુજબ અયોધ્યાના રામ મંદિરમાં રામ લાલાની મૂર્તિના અભિષેકને 21 જાન્યુઆરીએ એક વર્ષ પૂર્ણ થશે. અગાઉ ચંપત રાયને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ અવસર પર મોહન ભાગવતે કહ્યું કે રામ મંદિર આંદોલન કોઈનો વિરોધ કરવા માટે શરૂૂ નથી થયું. રામ મંદિર ચળવળ ભારતના સ્વયંને જાગૃત કરવા માટે શરૂૂ કરવામાં આવી હતી, જેથી દેશ પોતાના પગ પર ઊભો રહી શકે અને વિશ્વને રસ્તો બતાવી શકે. મોહન ભાગવતે કહ્યું કે ગત વર્ષે અયોધ્યામાં રામ મંદિરનું અભિષેક થયું હતું. તે સમયથી દેશમાં કોઈ વિખવાદ થયો નથી.

એવોર્ડ મેળવ્યા બાદ ચંપત રાયે કહ્યું કે તેઓ આ એવોર્ડ રામ મંદિર આંદોલન સાથે સંકળાયેલા તમામ જાણીતા અને અજાણ્યા લોકોને સમર્પિત કરી રહ્યા છે. જેમણે અયોધ્યામાં મંદિર નિર્માણમાં મદદ કરી હતી. ચંપત રાયે રામ મંદિર આંદોલનના જુદા જુદા સંઘર્ષોનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે અયોધ્યામાં બનેલું આ મંદિર રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે અને આ મંદિરના નિર્માણ માટે તેઓ માત્ર એક સાધન છે.

Exit mobile version