Connect with us

jamnagar

શરમ: આ વર્ષે પશુ ડબ્બામાં 986 પશુઓનાં મોત થયાં!!

Published

on

જામનગર મહાનગરપાલિકા ન નગરજનોને સુખી કરી શકે છે, ન મૂંગા પશુઓને. કોર્પોરેશન સંચાલિત એક જ પશુડબ્બામાં આ વર્ષે 986 પશુઓના મોત થયાનો આંકડો વિપક્ષ દ્વારા મંગળવારે ફેક્ટ ચેક દરમિયાન મીડિયાકર્મીઓ સમક્ષ જાહેર કરવામાં આવતાં અરેરાટી મચી જવા પામી છે.
મંગળવારે બપોરે વિપક્ષના નેતા ધવલ નંદાની આગેવાની હેઠળ પૂર્વ નેતા અલ્તાફ ખફી, નગરસેવિકાઓ રચનાબેન નંદાણિયા તથા જેનબબેન ખફીએ, રણજિતસાગર ડેમ નજીક આવેલાં કોર્પોરેશન સંચાલિત પશુ ડબ્બાની મુલાકાત લીધી હતી.
વિપક્ષે મીડિયાકર્મીઓ સમક્ષ કોર્પોરેશનના શાસકપક્ષ અને કમિશનર સહિતના અધિકારીઓની પોલ ખોલતાં કહ્યું: આ પશુ ડબ્બામાં આ વર્ષે અત્યાર સુધીમાં 986 પશુઓ કમોતે મર્યા છે. 50 પશુઓને સમાવી શકાય એટલી જગ્યામાં 450 પશુઓને ભરવામાં આવ્યા છે. પશુઓને બેસવા કે ઉભવાની પણ જગ્યા મળતી નથી.
પશુઓને લીલો ઘાસચારો નીરવામાં આવતો નથી. સૂકાં સાઠીકડાં જેવી રાળ ખવડાવવામાં આવે છે ! પશુ ડબ્બામાં કયાંય સ્વચ્છતા નથી. પશુઓને પાણી પિવડાવવા માટેની વ્યવસ્થા યોગ્ય નથી. પશુઓ બિમાર પડે છે, તેની પણ દેખરેખ રાખવામાં આવતી નથી.
બીજી તરફ, કોર્પોરેશન દ્વારા પશુઓના ઘાસચારા માટે લાખો રૂૂપિયાના બિલો ધડાધડ મંજૂર થાય છે. કોન્ટ્રાક્ટ શાસકપક્ષના મળતિયા પાસે છે. શહેરમાં આ પશુઓ રખડતાં હોય છે ત્યારે નગરજનો સુરક્ષિત હોતાં નથી અને રખડતાં પશુઓને ડબ્બામાં પૂરી દીધાં પછી, આ મૂંગા પશુઓ સુરક્ષિત હોતાં નથી. બીજી બાજુ કોર્પોરેશન પકડેલાં પશુઓને બહારગામની પાંજરાપોળોમાં મોકલવા ટ્રાન્સપોર્ટેશન અને નિભાવ ખર્ચ માટે લાખો રૂૂપિયાના બિલો ધડાધડ પાસ કરતું રહે છે! આ વિભાગના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા આ સમગ્ર વિષયને આટલી રેઢિયાળ રીતે શા માટે ચલાવે છે ?! તેમાં ઘોર બેદરકારીઓ ઉપરાંત ભ્રષ્ટાચાર પણ સમાયેલો છે ?! એવો પ્રશ્ન લોકો પૂછી રહ્યા છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

jamnagar

કાલાવડના આણંદપર ગામે ખેડૂતના ઘરમાંથી રૂા.95 લાખની રોકડ ચોરી

Published

on

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામે રહેતા દીપકભાઈ જેસડીયા નામના ખેડૂતના ઘરે 95 લાખ રૂૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. આ ખેડૂતે તેમની જમીનનું વેચાણ કર્યું હતું જેમાં તેમને 2 કરોડ રૂૂપિયા રોકડા મળ્યા હતા, તેમાંથી 95 લાખ રૂૂપિયાની ચોરી થઈ છે. ખેડૂત પરિવાર સગાઇના પ્રસંગે રાજકોટ ગયા હતા ઘરે આવતા તેમના ઘરના દરવાજાનો નકુચો તૂટેલો જણાયો હતો. તપાસ કરતા ઘરના કબાટમાં રાખેલા પૈસાની ચોરી થવાની જાણ થઇ હતી.
બંધ મકાનનો લાભ લઇ ચોરોએ ચોરીને ઘટનાને અંજામ આપ્યો છે. ખેડૂત દ્વારા પોલીસ સ્ટેશનમાં ચોરીની જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા કાલાવાડ ગ્રામ્ય પોલીસ સહિતનો કાફલો દોડી આવ્યો હતો.
આ ઘટના વિશે ડીવાયએસપી જયવિર સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામે ગઇકાલે બપોરે 2.30થી 7 વાગ્યા દરમિયાન એક ચોરીની ફરિયાદ દાખલ થઇ છે. ફરિયાદ દીપકભાઇ જેસડીયાના ઘરે અજાણ્યા ઇસમ દ્વારા તેમના ઘરે પડેલી રોકડ રકમ આશરે 95 લાખ રૂૂપિયાની ચોરી થઇ છે. જેની ફરિયાદ કાલાવાડ ગ્રામ્ય પોલીસમાં દાખલ કરવામાં આવી છે. આ બાબતે સમગ્ર વિસ્તારમાં તપાસ ચાલું છે. જેટલા પણ હિસ્ટ્રીશીટર કે શકમંદ છે તેમને રાઉન્ડઅપ કરી પૂછપરછ ચાલું છે.
તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે ફરિયાદી દ્વારા તાજેતરમાં જ કોઇ જમીનનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં કટકે-કટકે તેમની પાસે આ રૂૂપિયા આવ્યા હતા.

Continue Reading

jamnagar

જામનગર-અમદાવાદમાંથી 93 લાખનું ભેળસેળિયુ ઘી ઝડપાયું

Published

on

જામનગર અને અમદાવાદમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગની તપાસ દરમ્યાન શંકાસ્પદ ફેક્ટરીમાંથી ભેળસેળ યુક્ત ઘીના 10 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી રૂૂપિયા 93 લાખની કિંમતનો કુલ 13 હજાર આઠસો કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જીવન જરૂૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. કમિશનર કોશિયાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જામનગર ટીમ દ્વારા બાતમીના આધારે જામનગરના એક ખાનગી મકાનમાં રેઇડ કરવામાં આવી હતી. આ ઘરમાં ચિરાગભાઈ હરિયાની વગર પરવાને ઘી બનાવી વેચવાનો ગેરકાયદેસર ધંધો કરતા હોવાનું જણાયું હતું. તપાસ દરમિયાન આ ઘરમાં શંકાસ્પદ ઘીનો પેક તથા લુઝમાં જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘીમાં ભેળસેળની પ્રબળ શંકાના આધારે ઘીના ત્રણ નમુનાઓ લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીનો આશરે રૂા. 2.65 લાખની કિંમતનો 530 કિ.ગ્રા. શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
અમદાવાદ ખાતે પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા બે જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રથમ દરોડામાં બાકરોલના મે. સાર્થક ફૂડ પ્રોડક્ટ્સ ખાતે તપાસ હાથ ધરતા પેઢીના માલિક અંકીતભાઈ બારોટની હાજરીમાં જ શંકાસ્પદ પરીધમ પ્રીમીયમ ઘીથ અને પવચનામૃતથ એવી અલગ-અલગ બ્રાંડના ત્રણ નમૂનાઓ તથા તેમાં વાપરવામાં આવેલ ફલેવરનો પણ નમૂનો લેવામાં આવ્યો હતો. બીજા કિસ્સામાં દસક્રોઈ તાલુકાના ધામતવણ ખાતે મે. હર્ષ ડેરી ફૂડ પ્રોડક્ટ્સ પ્રા. લી. ખાતે પેઢીના માલિક ભરતભાઈ પટેલની હાજરીમાં શંકાસ્પદ પગોપી શ્રીથ બ્રાંડના ઘીના બે નમૂનાઓ તથા તેમાં વાપરવામાં આવેલ ફલેવરનો નમુનો લેવામાં આવ્યો હતો. જ્યારે બાકીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ત્રણ રેડમાં કુલ 10 નમુનાઓ લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ખાદ્ય પદાર્થોનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.

Continue Reading

jamnagar

રાજકોટ-જામનગરમાં ડિસેમ્બરના અંતથી લગાવાશે સ્માર્ટ વીજમીટર

Published

on

વિજળીની બચત કરવા અને ગ્રાહકોને સારી સુવિધા પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ વિજ મીટર લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનમાં સૌપ્રથમ રાજકોટ અને ગુજરાતમાં સ્માર્ટ વિજ મીટર લગાવવાની કામગીરીનો પ્રારંભ મહિનાના અંતે અને 2024ના વર્ષેથી કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં 23.66 લાખ સ્માર્ટ વિજમીટર જાન્યુઆરી 2025 સુધીમાં લગાવવામાં આવશે.
કેન્દ્ર સરકારની આર.ડી.એસ.એસ. (રીવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેકટર સ્કીમ) યોજના હેઠળ પીજીવીસીએલના વિજગ્રાહકો ખેતીવાડી તથા ભારે દબાણના વિજગ્રાહકો સિવાયના)ના વિજસ્થાપનમાં સ્માર્ટ પ્રી-પેઇડ મીટર લગાવવા માટે પીજીવીસીએલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.સૌરાષ્ટ્રના 56 લાખ વીજગ્રાહકોના ઘર, દુકાન, બિલ્ડિંગ, ઓફિસોમાં હવે પ્રિ-પેઈડ વીજમીટર લગાવાશે. અત્યાર સુધી વીજળી વાપર્યા બાદ પૈસા ચૂકવતા હતા પરંતુ હવે સ્માર્ટ પ્રિ-પેઈડ મીટર લગાવ્યા બાદ વીજગ્રાહક જેટલું રિચાર્જ કરશે તેટલી જ વીજળી તેને વાપરવા મળશે. આ યોજના હેઠળ સ્માર્ટ પ્રી-પેઇડ મીટર લગાવવાથી વિજગ્રાહકો પોતાની જરૂૂરીયાત મુજબ રીચાર્જ કરી શકશે. આમ ગ્રાહકોની સુખાકારીમાં વધારો થશે. વધુમાં પીજીવીસીએલનાં કર્મયા2ીઓને મીટર રીડીંગ માટે વખતો વખત રૂૂબરૂૂ જવાની જરૂૂરીયાત રહેશે નહિ જેથી સમયનો પણ બચાવ થશે.
આ યોજનાના અમલીકરણ માટે કેન્દ્ર સરકારના RECPDC (આર.ઈ.સી. પાવર ડેવલોપમેન્ટ એન્ડ ક્ધસલટન્સી લિમીટેડ) વિભાગને નિયુક્ત કરવામાં આવેલ છે. પીજીવીસીએલના 55,83,000 વિજગ્રાહકોના (કુલ રૂૂપીયા 3600 કરોડના ખર્ચથી) વિજસ્થાપનમાં સ્માર્ટ પ્રી-પેઈડ મીટર, બે તબક્કામાં લગાવવાનું આયોજન કરવામાં આવેલ છે.આ યોજના અંતર્ગત સૌ પ્રથમ પાઈલોટ ટાઉન તરીકે મહિલા કોલેજ પેટા વિભાગીય કચેરી-રાજકોટથી મીટર લગાવવાનું આયોજન કરવામાં આવેલ છે. ઉપરાંત જામનગર સીટી ડીવીઝનનાં સેન્ટ્રલ ઝોન સબડીવીઝનમાં મીટર લગાડવાની શરૂઆત કરવામાં આવશે. પ્રથમ તબકકામાં જાન્યુઆરી-2025 સુધીમાં 23.66 લાખ સ્માર્ટ મીટરો લગાવામાં આવશે.
આ મીટરો સરકારી વિજજોડાણો, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, ઔધોગિક વિજજોડાણો, વાણિજ્યક વિજજોડાણો તેમજ ઘરવપરાશના વિજજોડાણોમાં લગાવવાનું આયોજન કરવામાં આવેલ છે.
પ્રી-પેઈડ સ્માર્ટ મીટરમાં રીચાર્જ પ્રક્રીયા મોબાઈલ ના પ્રી-પેઇડ સીમકાર્ડ જેવી હશે. હવે માસિક ચુકવણી ના બદલે જરૂૂરિયાત મુજબ અનુકુળ દિવસો કે કલાકો માટે પણ ચુકવણી થઇ શકશે. જો કોઈ વીજ ગ્રાહકનું રીચાર્જ રાત્રી ના પૂરું થઇ જાય તો આવા ગ્રાહકોને રાત્રી ના વીજળી વગર રેહવું નહી પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

Continue Reading

Trending