Site icon Gujarat Mirror

છત્તીસગઢમાં બે સ્થળોએ એન્કાઉન્ટર: 24 નક્સલી ઠાર, 1 જવાન શહીદ

ગુરુવારે વહેલી સવારે બીજાપુર જિલ્લાના ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. માહિતી આપતા બીજાપુર પોલીસે જણાવ્યું કે બીજાપુર ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના એક જવાનનું બલિદાન આપવામાં આવ્યું છે. બીજાપુરમાં નક્સલવાદીઓ સાથેની અથડામણમાં 20 નક્સલવાદીઓ માર્યા ગયા છે. બીજી તરફ કાંકેરમાં સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં ચાર નક્સલવાદીઓ માર્યા ગયા હતા. તમામ 24 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. હથિયારો અને દારૂૂગોળો મળી આવ્યો છે.
આ એન્કાઉન્ટર બીજાપુરના ગંગાલુર વિસ્તારના અંદ્રી જંગલોમાં થયું હતું. એસપી જિતેન્દ્ર યાદવે જણાવ્યું કે એન્કાઉન્ટર હજુ ચાલુ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમ ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલ વિરોધી અભિયાન પર હતી ત્યારે એન્કાઉન્ટર શરૂૂ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં હજુ પણ ગોળીબાર ચાલુ છે. આ અંગે વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

હકીકતમાં, ડીઆરજી, એસટીએફ અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમ બીજાપુર અને દંતેવાડાના સરહદી વિસ્તારમાં ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ નક્સલ વિરોધી અભિયાન પર નીકળી હતી. ઓપરેશન દરમિયાન, ગુરુવારે સવારે માઓવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે સતત ગોળીબાર થઈ રહ્યો હતો, ત્યારબાદ વિસ્તારમાં સર્ચ દરમિયાન, એન્કાઉન્ટર સ્થળ પરથી બે નક્સલીઓના મૃતદેહ સાથે મોટી માત્રામાં હથિયારો અને દારૂૂગોળો મળી આવ્યો હતો. આ એન્કાઉન્ટરમાં બીજાપુર ડીઆરજીનો એક જવાન પણ શહીદ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, બીજાપુરના આ ભાગમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અનેક વખત એન્કાઉન્ટર થઈ ચૂક્યા છે. નક્સલવાદીઓને જડમૂળથી ઉખેડવા પોલીસ સતત અભિયાન ચલાવી રહી છે. તાજેતરમાં જ આ વિસ્તારમાં જવાનોએ 31 નક્સલવાદીઓને માર્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે આજે પણ નક્સલવાદીઓ સામે મોટી કાર્યવાહી થઈ શકે છે. નક્સલવાદીઓ આ વિસ્તારને પોતાનો સેફ ઝોન માને છે.

Exit mobile version