Connect with us

રાષ્ટ્રીય

‘હું ભોલેનાથનો બાપ છું’ કહીને ગળામાં સાપ લપેટીને રમવા લાગ્યો, અંતે સાપે માર્યો ડંખ,જુઓ વિડીયો

Published

on

 

યુપીના દેવરિયામાં દારૂના નશામાં સાપ સાથે રમવું એક યુવકને ભરી પડયું. તે વ્યક્તિ પોતાની જાતને ભોલેનાથનો બાપ કહેતો હતો અને તેના ગળામાં સાપ લપેટીને સાપને વારંવાર તેને ડંખ મારવા માટે પડકારતો હતો. આ પછી સાપે તેને ડંખ માર્યો જેના કારણે તેનું મોત થયું. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે એક નશામાં ધૂત વ્યક્તિ કહી રહ્યો છે કે, ‘હું ભોલેનાથનો બાપ છું’, ત્યારબાદ તે સાપ સાથે રમતો રહ્યો. ક્યારેક તે સાપને તેના ગળામાં લપેટી લેતો અને ક્યારેક તે તેના હાથ અને જીભ પર કરડવાની કોશિશ કરતો. બાદમાં સાપ કરડવાથી યુવકનું મોત થયું હતું. મૃતકનું નામ રોહિત જયસ્વાલ છે. આ ઘટના શનિવારે રાત્રે બની હોવાનું કહેવાય છે. નશાની હાલતમાં યુવક સાપ સાથે રમતા રમતા તેને હાથમાં પકડીને સાપને ભોલેનાથ બાપ ચુ કહીનેઅપશબ્દો બોલી રહ્યો હતો. વીડિયોમાં જોવા મળે છે કે તે સાપને પોતાના હાથથી મારી રહ્યો છે અને આ દરમિયાન તે સિગારેટ પણ પી રહ્યો છે. અંતે, આ રમત દરમિયાન, એક સાપે યુવકને ડંખ માર્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું.

 

ઘુઘુંડુ પોલીસ સ્ટેશનના પ્રભારી સંતોષ કુમાર સિંહે ફોન પર જણાવ્યું કે યુવકનું મોત સાપ કરડવાથી થયું છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.

તમને જણાવી દઈએ કે યુવક પોતે મૃત્યુ સુધી તેનો વીડિયો બનાવતો રહ્યો. 4 મિનિટ 38 સેકન્ડનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે જે સાપના કરડવાથી યુવકનું મોત થયું તે ક્રેટ પ્રજાતિનો હતો. તમને જણાવી દઈએ કે 22 વર્ષીય મૃતક રોહિત જયસ્વાલ તેની ભાભી સાથે ઘુઘુંડુ પોલીસ સ્ટેશન વિસ્તારના અહિરૌલી ગામમાં રહેતો હતો. તેઓ 6 ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. તેના માતા-પિતા સિલીગુડીમાં રહે છે અને અન્ય ભાઈ-બહેનો પણ બહાર કામ કરે છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રાષ્ટ્રીય

વન નેશન, વન સ્ટુડન્ટ: દરેક વિદ્યાર્થીને અપાશે ‘અપાર’ ID

Published

on

By

વન નેશન, વન સ્ટુડન્ટ હેઠળ હવે દરેક વિદ્યાર્થીની એક વિશેષ ઓળખ (12 અંકનું ઈંઉ) હશે, જે તેને ક્ધિડરગાર્ટનથી લઈને પીએચડીના અભ્યાસ અને નોકરી મેળવવા સુધી મદદરૂૂપ થશે. આ ઈંઉ જે આધારની જેમ કામ કરશે તેને ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી નામ આપવામાં આવ્યું છે. આ યોજના શૈક્ષણિક સત્ર 2024-25 થી લાગુ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા 4.50 કરોડ વિદ્યાર્થીઓમાંથી 2.50 કરોડને અઙઅઅછ આઈડી આપી દીધી છે. બાકીના વિદ્યાર્થીઓ માટે અઙઅઅછનું કામકાજ ચાલુ છે.શાળાના વિદ્યાર્થીઓ માટે યુનિક આઈડી બનાવવા માટે રાજ્યોમાંથી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. એકવાર આ યોજના લાગુ થયા પછી, વિદ્યાર્થીઓ દેશમાં ગમે ત્યાં જઈ શકશે અને શાળાથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી શકશે.

હાલમાં ટ્રાન્સફર સર્ટિફિકેટ અને અન્ય ગૂંચવણોના કારણે આ પ્રક્રિયા (માઇગ્રેશન)માં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.વિદ્યાર્થીના બાલ વાટિકામાં પ્રવેશ મેળવતા જ તેની અઙઅઅછ આઈડી બની જશે. જેમાં વિદ્યાર્થી અને વાલીઓનું નામ, જન્મ તારીખ, લિંગ, ફોટો અને આધાર નંબર નાખવામાં આવશે. આ આઈડી તેના ઉચ્ચ શિક્ષણ માટે પણ ઉપયોગી થશે. વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષાઓ, ઉંઊઊ, ગઊઊઝ, ઈઞઊઝ અને અન્ય રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાઓ માટે અરજી ફોર્મમાં આ ઈંઉ અપલોડ કરવાની રહેશે.

આ ઈંઉને ઉશલશકજ્ઞભસયિ અને એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ સાથે પણ લિંક કરવામાં આવી રહ્યું છે. જ્યારે કોઈ વિદ્યાર્થી અભ્યાસક્રમ, ડિગ્રી, પ્રમાણપત્ર, કૌશલ્ય અથવા અન્ય કોઈ સિદ્ધિ પૂર્ણ કરે છે, ત્યારે તેના પ્રમાણપત્રો તેમાં ઉમેરવામાં આવશે.આ સાથે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત અને પ્રમાણપત્રો અલગથી તપાસવાની જરૂૂર રહેશે નહીં. અભ્યાસ બાદ કેમ્પસ પ્લેસમેન્ટ અને જોબમાં પણ આ યુનિક આઈડી દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે.

Continue Reading

રાષ્ટ્રીય

દેશમાં ફરી કોરોનાએ દીધી દસ્તક, 148 લોકો આવ્યા પોઝિટિવ

Published

on

By

વિશ્વભરમાં હજારો લોકોનો ભોગ લેનાર કોરોના મહામારી હજુ પણ ચિંતાનો વિષય છે. શિયાળાની શરૂઆત સાથે જ ભારતમાં કોરોના વાયરસના ચેપના નવા કેસ સામે આવ્યા છે. આ પછી, ચેપના વધારાને લઈને ફરી એકવાર ચિંતાની રેખાઓ ઉભી થઈ છે.

મીડિયા રીપોર્ટસ અનુસાર ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના ચેપના 148 નવા કેસ નોંધાયા છે. આજે (9 ડિસેમ્બર)ના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. સવારે 8 કલાકે અપડેટ કરાયેલા આંકડા મુજબ દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા વધીને 808 થઈ ગઈ છે જે ચિંતાજનક છે.

4.50 કરોડ લોકો સંક્રમિત થયા છે

આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, અત્યાર સુધીમાં કોરોના વાયરસના ચેપના કુલ કેસોની સંખ્યા 4 કરોડ 50 લાખ 2 હજાર 889 છે. જ્યારે મૃતકોની સંખ્યા 5 લાખ 33 હજાર 306 છે.

મોટી સંખ્યામાં દર્દીઓ સાજા પણ થયા છે

તે જ સમયે, જારી કરાયેલા હેલ્થ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે 4 કરોડ 44 લાખ 68 હજાર 775 લોકો ચેપમાંથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે, જે રાહતની વાત છે. દેશમાં ચેપમાંથી સાજા થવાનો દર 98.81 ટકા છે જ્યારે મૃત્યુ દર માત્ર 1.19 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, અત્યાર સુધીમાં દેશભરમાં એન્ટી-કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે કોરોના પછી ચીનમાં રહસ્યમય ન્યુમોનિયાનો ચેપ ફેલાયો છે અને દેશમાં કેટલાક કેસ પણ જોવા મળ્યા છે, જેને લઈને કેન્દ્રએ પહેલાથી જ એલર્ટ જાહેર કરી દીધું છે. દરમિયાન, કોરોનાના નવા કેસોમાં વધારાને કારણે દેશમાં ફરી એકવાર ચિંતા વધવા લાગી છે.

Continue Reading

રાષ્ટ્રીય

‘મજબૂત ઈચ્છાશક્તિથી કોઈ પણ શક્ય છે’ PM મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે કરી વાત

Published

on

By

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (9 ડિસેમ્બર 2023) વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાત કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે યુવાનો સાથે વાત કરતા કહ્યું કે, મજબૂત ઈચ્છાશક્તિની મદદથી કંઈ પણ કરી શકાય છે. વડાપ્રધાને કહ્યું કે, અમે જે યોજનાઓ બનાવી છે તે પ્રમાણે અમે લાભાર્થીઓને શોધીએ છીએ અને આગળથી જઈને તેમને યોજનાઓ આપવાનું કામ કરીએ છીએ.

આ દિવસોમાં મોદીની ગેરંટી યોજનાનું વાહન ગામડે ગામડે અને શેરીએ શેરીએ જઈને લોકોને સરકારની યોજના વિશે જણાવી રહ્યું છે, જેના કારણે લોકોને તેનો લાભ મળી રહ્યો છે. ગુજરાતના લાભાર્થીઓ સાથે વાત કરતાં વડાપ્રધાને કહ્યું કે, આજે યુવાનો શહેરો છોડીને ગામડાઓમાં પાછા ફરી રહ્યા છે અને અહીં ખેતી કરીને લાખોનો નફો કમાઈ રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરના રહેવાસીઓ સાથે વાત કરી

આ મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ ભાગો, જમ્મુ અને કાશ્મીરમાંથી ‘વિકિત ભારત સંકલ્પ યાત્રા’ના લાભાર્થીઓમાંના એક સાથે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા વાતચીત કરી હતી. તેમણે કહ્યું, ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે તે જોઈને મને ખૂબ જ આનંદ થાય છે.

હજારો લાભાર્થીઓ ઓનલાઈન જોડાયા

દેશભરમાંથી હજારો લાભાર્થીઓ ઓનલાઈન મોડ દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે અને દેશભરમાંથી બે હજારથી વધુ VBSY વાન, હજારો કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVKs) અને કોમન સર્વિસ સેન્ટર્સ (CSCs) પણ તેમાં જોડાશે. આ કાર્યક્રમમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે.

PMOએ જણાવ્યું હતું કે, સરકારની મુખ્ય યોજનાઓનો સંપૂર્ણ લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયમર્યાદામાં પહોંચે તે સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે વિકાસ ભારત સંકલ્પ યાત્રા દેશભરમાં કાઢવામાં આવી રહી છે.

Continue Reading

Trending