Connect with us

Sports

IPL પર સાઉદી અરબની નજર, જંગી રોકાણની યોજના

Published

on

સાઉદી અરેબિયા IPLમાં રોકાણ કરવા માંગે છે. આ માટે સાઉદી અરેબિયાના અધિકારીઓ ભારત સરકાર અને BCCIના અધિકારીઓ સાથે વાત કરી રહ્યા છે. સાઉદી અરેબિયામાં T-20 લીગના નિષ્ફળ પ્રયાસ બાદ IPLમાં હિસ્સો ખરીદવાની વાતો સામે આવી રહી છે.
સાઉદી અરેબિયા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ દ્વારા નહીં પરંતુ સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલમાં હિસ્સો ખરીદીને ક્રિકેટમાં પ્રવેશવાની યોજના બનાવી રહ્યું છે. સાઉદી અરેબિયા એક અલગ વ્યૂહરચના સાથે 5 અબજ ડોલર સુધીનું રોકાણ કરવા માંગે છે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના સલાહકારોએ પણ આઈપીએલને લઈને ભારત સરકારના અધિકારીઓનો સંપર્ક કર્યો છે. સાઉદી અરેબિયા ઈંઙકને 5 બિલિયનના રોકાણ સહિત 30 બિલિયન હોલ્ડિંગ કંપની બનાવવા માંગે છે.
સપ્ટેમ્બર મહિનામાં, જ્યારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન જી-20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. તે દરમિયાન ભારત આવેલા સાઉદી અધિકારીઓએ તેમના ભારતીય સમકક્ષો સાથે આ મુદ્દે અનૌપચારિક વાતચીત કરી હતી.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

india

IND vs SA / મોહમ્મદ શમીની ઈજાએ ભારતીય ટીમની ચિંતા વધારી, ઝડપી બોલર લઈ રહ્યા છે ડોક્ટરની સલાહ

Published

on

ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પગની ઘૂંટીની સમસ્યા થઈ રહી છે જેને સારવારની જરૂર છે અને ભારતીય ટીમ મેનેજમેન્ટને આશા છે કે, તે દક્ષિણ આફ્રિકા સામે સેન્ચુરિયનમાં 26 ડિસેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે સમયસર ફિટ થઈ જશે.

શમીને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ તેની ઉપલબ્ધતા ફિટનેસ પર નિર્ભર રહેશે. જાણવા મળ્યું છે કે શમી તેના પગની સમસ્યાની સારવાર માટે મુંબઈમાં ‘સ્પોર્ટ્સ ઓર્થોપેડિક’ની સલાહ લઈ રહ્યો હતો.

બીસીસીઆઈના સૂત્રએ કહ્યું કે, આ મેદાન પરની ઈજા નથી. તેને પગની ઘૂંટીમાં થોડી સમસ્યા છે. શમી ડૉક્ટરોની સલાહ માટે મુંબઈ આવ્યો હતો. તે પુનર્વસન અને સારવાર માટે એનસીએ પણ જશે. જો શમી ‘બોક્સિંગ ડે ટેસ્ટ’ માટે સમયસર સ્વસ્થ થવાની શક્યતા ન હતી, તો રાષ્ટ્રીય પસંદગીકારોએ તેને પસંદ કર્યો ન હોત.

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ, સિરાજ, મુકેશ કુમાર, મોહમ્મદ. . શમી, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણા.

Continue Reading

india

IPL-2024નું આયોજન ભારત બહાર થઇ શકે

Published

on

વર્લ્ડ કપ પુરો થયા બાદ તમામ ક્રિકેટ ફેન્સની નજર IPL 2024 પર છે. બહુ જલ્દી ઓક્શન યોજાવા ઝઈ રહ્યું છે ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. દર વખતની જેમ આ વખતે પણ ટૂર્નામેન્ટને લઈને અદ્દભૂત ક્રેઝ જોવા મળી રહ્યો છે. જો કે આ વખતે સામાન્ય ચૂંટણીના કારણે IPL શેડ્યૂલ જાહેર કરવામાં વિલંબના સમાચાર છે.2008માં શરૂ થયેલી આ ટુર્નામેન્ટની 17મી સીઝનનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે લોકસભા ચૂંટણી 2024ને લઈને ઘણા ફેરફાર થઈ શકે છે. અહેવાલો અનુસાર, ભારતીય ચૂંટણી પંચ દ્વારા સામાન્ય ચૂંટણીની તારીખની જાહેરાત પછી IPL શેડ્યૂલ આવશે. પીટીઆઈ અનુસાર, IPLના શેડ્યૂલની જાહેરાત ત્યારે જ થશે જ્યારે ભારતીય ચૂંટણી પંચ 2024ની લોકસભા ચૂંટણીની તારીખ નક્કી કરશે. આ સિવાય મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે, લોકસભા ચૂંટણીને કારણે 2024ની તમામ અથવા અડધી IPL ભારતની બહાર યોજવામાં આવી શકે છે. ચૂંટણીની તારીખો પછી જ આ અંગે નિર્ણય લેવામાં આવશે. હવે એ જાણવું રસપ્રદ રહેશે કે ટૂર્નામેન્ટનું સત્તાવાર શેડ્યૂલ ક્યારે જાહેર થશે અને તે ક્યાં યોજાશે? ફેબ્રુઆરી-માર્ચમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી બાદ IPL 2024 માર્ચના ત્રીજા સપ્તાહથી મેના ત્રીજા સપ્તાહ સુધી યોજાય તેવી શક્યતા છે. કોઈપણ રીતે IPLની તારીખ ચૂંટણીની તારીખની જાહેરાત પછી જ જાહેર થશે તે નક્કી છે.

Continue Reading

Sports

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફરી શકે પાકનો ઈમાદ વસીમ

Published

on

પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ગરબડ ચાલુ છે. બોર્ડથી નારાજ અનુભવી ઓલરાઉન્ડર ઈમાદ વસીમે હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઇમાદ અને પીસીબી વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલ વિવાદ કોઇનાથી છુપાયેલો નથી. ઇમાદે આક્ષેપ કર્યો હતો કે તેના સતત શ્રેષ્ઠ પ્રદર્શન છતાં બોર્ડ તેની અવગણના કરી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક આ જ તેમની નિવૃત્તિનું કારણ પણ હતું.
હવે જ્યારે પાકિસ્તાન ક્રિકેટમાં મહત્વના હોદ્દા પર ફેરફારો થયા છે ત્યારે તેણે ફરીથી વાપસી કરવાના સંકેત દેખાડી દીધા છે.
જ્યારે 34 વર્ષીય ઓલરાઉન્ડરને પૂછવામાં આવ્યું કે તેણે માત્ર 34 વર્ષની ઉંમરે નિવૃત્તિ કેમ લીધી? આના પર તેણે જવાબ આપ્યો, નિવૃત્તિનો નિર્ણય મારો અંગત નિર્ણય હતો. મને લાગે છે કે મારે જે મનની સ્થિતિમાં હોવું જોઈએ તે સ્થિતિમાં હું નહોતો. તેણે આગળ કહ્યું, નમેં માનસિક રીતે શાંત રહેવા માટે આ મોટો નિર્ણય લીધો હતો. આ જીવન છે. અહીં કંઈપણ શક્ય છે. મેં નિવૃત્તિનો નિર્ણય યુ-ટર્ન લેવા માટે નથી લીધો. નિવૃત્તિ એ મારો મોટો નિર્ણય હતો. ચાલો જોઈએ કે જીવનમાં આગળ શું લખાય છે.

Continue Reading

Trending