Connect with us

rajkot

રેસકોર્સમાં મનપાની વિવિધ રમતગમતની ચાલતી એકેડેમી: નામાંકિત કોચ દ્વારા પ્રશિક્ષણ

Published

on

રાજકોટ મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓ ખાતે આશરે 30,000 થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે.આ વિધાર્થીઓમાં રમતગમત પ્રત્યે ખુબજ અનેરો ઉત્સાહ જોવા મળે છે. તેમજ ભવિષ્યના સારા સ્પોર્ટસ પર્સન બનવાનો અવકાશ પણ રહેલો છે. પરંતુ તેઓની આર્થિક મર્યાદાને લીધે તેઓ રમત ગમત ક્ષેત્રે આગળ વધી શકતા નથી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ સંકુલ ખાતે વૈશ્વિક કક્ષાની રમતગમત સુવિધાઓનું નિર્માણ કરવામાં આવેલ છે.આ તમામ રમતગમત સુવિધાઓ ખાતે વિવિધ સ્પોર્ટસ એકેડમી ચાલી રહી છે. જેમાં શહેરના નામાંકિત કોચ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવે છે.
રાજકોટ મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના વિધાર્થીઓ પૈકી પોટેન્શિયલ ધરાવતા વિધાર્થીઓનું સીલેકશન કરી,એકેડમીના કોચીસ દ્વારા તેઓએ તાલીમ આપવામાં આવે તો ખુબજ સારા ખેલાડીઓ તૈયાર થઇ શકે તેમ છે.આ ખેલાડીઓ ભવિષ્યમાં રાજકોટનું રાજય, દેશ તથા વૈશ્વિક કક્ષાએ પ્રતિનિધિત્વ કરે તે સંભવ બનશે.
રાજકોટ મહાનગરપાલિકા સ્પોર્ટસ વિભાગ દ્વારા ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ 2023 ઘડવામાં આવેલ છે.
ફુટબોલ, હોકી, બેડમિન્ટન, ક્રિકેટ, એથ્લેટીકસ, સ્વીમીંગ, બાસ્કેટ બોલ, વોલીબોલ રમતનું પ્રશિક્ષણ અપાઇ રહ્યું છે.
જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓનું પ્રથમ શાળા કક્ષાએ તથા ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા સ્પોર્ટસ વિભાગ દ્વારા બેટરી ટેસ્ટ દ્વારા સીલેકશન, નિયત ટેસ્ટ પ્રક્રિયા દ્વારા હાથ ધરવામાં આવેલ. આ સીલેકશન પ્રક્રિયાને અંતે કુલ પ્રત્યેક રમતમાં અંડર 10 કેટેગરીના 20 બાળકો તથા અંડર 14 કેટેગરીના 20 બાળકો મળીને કુલ 40 બાળકો એમ મળીને 08 રમતમાં કુલ 320 બાળકો સીલેકટ કરવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી ઉત્સવ અંતર્ગત ચિત્રનગરીની ટીમના સહયોગથી રેસકોર્ષ રીંગ રોડ ખાતે રંગોળી સ્પર્ધા યોજાયેલ. જે અંતર્ગત તા.11/11/2023ના રોજ બપોરે 03:00 કલાકથી રાત્રીના 11:30 કલાક દરમ્યાન રેસકોર્ષ રીંગરોડના 2.7 કિ.મી.ના એરિયામાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.
આ રંગોળી સ્પર્ધામાં નિર્ણાયકો તરીકે મુકેશભાઈ વ્યાસ, ચૈતન્યભાઈ વ્યાસ, હરેશભાઇ બડેલિયા, પ્રદીપભાઈ દવે, એમ.યુ.ચૌહાણ, વલ્લભભાઈ પરમાર, નલીનભાઇ સૂચક, અસિતભાઈ ભટ્ટ, મુકેશભાઈ ડોડીયા, કિશોરભાઈ કામાની, રૂૂપલબેન સોલંકી અને જયશ્રીબેન રાવલે સેવા આપેલ હતી.
ગ્રુપ રંગોળીના પ્રથમ ત્રણ વિજેતા ટીમોને રૂૂપિયા 15,000/- નો પુરસ્કાર, ગ્રુપ રંગોળીની અન્ય ત્રણ વિજેતા ટીમને રૂૂપિયા5000 /- નો પ્રોત્સાહન પુરસ્કાર, વ્યક્તિગત સ્પર્ધા પ્રથમ 14સ્પર્ધકોને રૃપિયા 5000/- પુરસ્કાર એનાયત કરવામાં આવશે.આ રંગોળી સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર વિતરણ (શ્રી વીર સાવરકર ઈન્ડોર સ્ટેડીયમ, રેસકોર્ષ) કાર્યક્રમ આગામી ટુંક દિવસોમાં યોજાશે.

rajkot

રાજકોટમાં હાર્ટએટેક વધુ એક પરિણીતાને ભરખી ગયો

Published

on

હૃદય રોગના હુમલાથી અનેક માનવ જિંદગીના શ્વાસ થંભી રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં પરિણીતાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રણછોડનગરમાં આવેલા જલગંગા ચોકમાં રહેતા ગીતાબેન મનસુખભાઇ દાવડા નામની 42 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા પરિણીતાને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી પરિણીતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક પરિણીતાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

rajkot

ધ્રાબડિયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનના સુસવાટા, માવઠાની આગાહીએ ચિંતા વધારી

Published

on

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. ગઇકાલે અમુક સ્થળોએ કમોસમી વરસાદ પડવા સાથે ઠંડા પવનો નિકળતા વાતાવરણમાં ઠંકર છવાઇ ગઇ છે. અને સવારથી વાદળછાયુ ધ્રાબડીયુ વાતાવરણ સર્જાયુ છે. હજુ આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી હોવાથી ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. ગઇકાલે સંતરામપુરમાં એક, કડાણામાં પોણો અને છોટાઉદેપુરમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. તેમજ સાયક્લોનીક સર્કયુલેશન સક્રિય થતાં માવઠું થઈ શકે છે. 3 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે.હાલ સૌથી ઓછું નલિયામાં 12.2 ડિગ્રી તાપમાન છે. જ્યારે અમદાવાદમાં 19.6 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.મિચાંગ સાયક્લોનની ગુજરાત પર હાલ કોઈ અસર રહેશે નહીં.
તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે અમદાવાદ, આણંદ,ભાવનગર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, નવસારી, પાટણ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો વલસાડ,તાપી, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન થાય તેવી સંભાવના છે. તો ડાંગ,દેવભૂમિ દ્વારકા, જામનગર, મહીસાગર, પંચમહાલ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

Continue Reading

rajkot

સોમવારથી ધોરણ 12ના વિદ્યાર્થીના મતદારયાદીમાં નામ ઉમેરવા ઝુંબેશ

Published

on

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી પંચના આદેશથી રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષી અને મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર દ્વારા મતદારયાદી સુધારણ કાર્યક્રમ જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે યુવા મતદારો મતદાન કરી શકે તે માટે તેમના નામ મતદારયાદીમાં ઉમેરવા સોમવારથી એક નવી ઝુંબેશ શરૂ કરવા જઈ રહ્યાં છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં ધો.12માં ભણતાં તમામ વિદ્યાર્થીઓના મતદાર યાદીમાં નોંધાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવનાર હોવાનું રાજકોટ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે જણાવ્યું છે.
રાજકોટ શહેર જિલ્લામાં લોકસભાની ચૂંટણી અંતર્ગત યુવા મતદારોના મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે એક પછી એક અસરકારક પગલાં અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. જેમાં સૌ પ્રથમ ઘરે ઘરે જઈ બુથ લેવલ ઓફિસરો દ્વારા મતદાર યાદીમાં નામ ઉમેરવાની ઝુંબેશ શરૂ કરી હતી. ત્યારબાદ મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર અને જિલ્લાની તમામ કોલેજોમાં બુથ લેવલ ઓફિસરો દ્વારા જઈને યુવા મતદારોને ઓનલાઈન મતદાર યાદીમાં નામ કેવી રીતે ઉમેરવું અને ફોર્મ કેવી રીતે ભરવું અને શું શું ડોકયુમેન્ટ જોડવા તે અંગેના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતાં.
ત્યારબાદ રાજકોટ શહેર અને જિલ્લામાં 2200થી વધુ મતદાન મથકો પર બુથલેવલના ઓફિસરો દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત યુવા મતદારોના નામ યાદીમાં ઉમેરવા માટે બે દિવસ ઝુંબેશ કરી હતી અને આગામી તા.3 ડિસેમ્બરને રવિવારના રોજ તેમજ તા.9 ડિસેમ્બર શનિવારના રોજ બુથ લેવલ પર મતદાર યાદી સુધારણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં મતદાર યાદીમાં નામ ઉમેરવામાં આવશે.
બીજી બાજુ જિલ્લા કલેકટર પ્રભવ જોષી અને ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર દ્વારા અમદાવાદની માફક રાજકોટ જિલ્લામાં પણ એક નવો અભિગમ અપનાવી રાજકોટ શહેર અને જિલ્લાની તમામ હાઈસ્કૂલોમાં ધો.12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓની માહિતી જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી મંગાવવામાં આવી છે અને સોમવારથી રાજકોટ શહેર અને જિલ્લાની તમામ હાઈસ્કૂલોમાં ધો.12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના મતદારયાદીમાં નામ ઉમેરવા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ આવકારદાયક પગલાંના કારણે રાજકોટ જિલ્લામાં મતદારયાદીમાં નવા નામ ઉમેરવામાં જોરદાર ઉછાળો જોવા મળે તો નવાઈ નહીં.
રાજકોટ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઘરે ઘરે જઈ તેમજ બુથ લેવલે કરવામાં આવેલી મતદારયાદી સુધારણ કાર્યક્રમના કારણે રાજકોટ જિલ્લામાં 13600 જેટલા નવા યુવા મતદારોના નામ યાદીમાં ઉમેરી દેવામાં આવ્યા છે. જ્યારે અવસાન થવાના કારણે 9516 જેટલા મતદારોના નામ યાદીમાંથી કમી કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્થળાંતર કરેલા અને મતદારોના નામનો સુધારવા કરવામાં 15000 જેટલા ફોર્મ ભરાયા છે.

Continue Reading

Trending