પોરબંદર
રૂા. 1.35 કરોડના મામલે રિક્ષાચાલક, વકીલ અને પોલીસ વચ્ચે ગેમ

એક રીક્ષા ચાલક દ્વારા શહેરના બે નામાંકિત વકીલ તથા સ્ટેમ્પ વેન્ડર અને 3 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે જિલ્લા પોલીસવડાને અરજી કરવામાં આવતા ભારે ચર્ચા જાગી છે. અરજી અનુસાર વકીલના 1.35 કરોડના બ્લેકના નાણાં તેની પાસે હોય અને તેનો હવાલો પોલીસે લઇને તેની પાસેથી આ પૈસા લીધા હોય તથા તેને માર મારવામાં આવ્યા સહિતના ગંભીર આક્ષેપો સાથેની અરજી આપી ફરિયાદ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. તો સામે પક્ષે વકીલે આ અરજીકર્તાના આક્ષેપને ફગાવી બ્લેકમેઇલ કરવા ખોટી વાર્તા ઉભી કરી હોવાનું જણાવ્યું છે જ્યારે પોલીસે આ અરજી મામલે તપાસ કરવામાં આવશે.
પોરબંદરના કડીયા પ્લોટ વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક જીતેન્દ્ર જયેશ પારેખ દ્વારા જિલ્લા પોલીસવડાને ગંભીર આક્ષેપો સાથે ફરીયાદ દાખલ કરવા માટે અરજી કરવામાં આવી છે. અરજીકર્તા દ્વારા કરવામાં અરજી અનુસાર શહેરના નામાંકિત વકીલ ગ્રીષ્મા જોષી તથા શરદ જોષી તેમના બ્લેકના રૂૂપિયા સ્ટેમ્પ વેન્ડર પરાગ માંડવીયા તથા તેને સાચવવા આપતા હતા અને તેના બદલામાં 50 હજાર રૂૂપિયા વાપરવા આપતા હતા. આજ રીતે ગત 05-11-2022ના રોજ ગ્રીષ્મા જોષીએ શરદ જોષી તથા સ્ટેમ્પ વેન્ડર પરાગ માંડવીયાની હાજરીમાં રૂૂપિયા 1 કરોડ પાંત્રીસ લાખ રૂૂપિયા તેને એટલે કે અરજીકર્તાને સાચવવા આપ્યા હતા. આ દરમ્યાન અરજીકર્તાને પોતાના મકાનમાં સમારકામ માટે બે લાખ રૂૂપિયાની જરૂૂર પડતાં તેણે ગ્રીષ્મા જોષી પાસે બે લાખ રૂૂપિયાની માંગણી કરતા ગ્રીષ્મા જોષીએ તેઓને આ રૂૂપિયા આપવાની ના પાડી હતી તેમ અરજીમાં જણાવ્યું છે.
આ વાતને લઈને અરજીકર્તાને લાગી આવતા તેણે આ થોડા દિવસ પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધેલ હોય ત્યારબાદ શરદ જોષી તથા પરાગ માંડવીયાએ અરજી જીતેન્દ્ર પારેખને તેને આપેલ 1 કરોડ પાંત્રીસ લાખ પરત આપી જવાનું જણાવ્યું હતું તેથી અરજીકર્તાએ તેઓને જણાવેલ કે આ પૈસા બ્લેકના છે તે પૈસા ભુલી જાવ આવું કહેતા તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા અને અવાર નવાર પૈસાની ઉઘરાણી કરતા હતા પરંતુ અરજીકર્તાના જણાવ્યા અનુસાર તેણે આ પૈસા પરત આપવાની ના પાડતાં તેની પાસેથી પૈસા કઢાવવા માટેનો હવાલો એસ.ઓ.જી ના પોલીસ કર્મચારી કિશન ગોરાણીયા તથા સમીર જુણેજાને આપવામાં આવ્યો હતો.
અરજીમા જણાવ્યા અનુસાર ત્યારબાદ તેને એસ.ઓ.જી ઓફીસે બોલાવી ગ્રીષ્મા જોષીના પૈસા બાબતે પુછપરછ કરવામાં આવી હતી અને બેફામ માર મારી તેમજ તેની પાસે રહેલ પોતાના પૈસા તેમજ તેને સાચવવા આપેલ પૈસા તથા તેના દીકરાનું બાઇક સહિત એસ.ઓ.જીના કિશન ગોરાણીયા, સમીર જુણેજા અને રવી જોષી લઇ ગયેલ છે તેમ અરજીમાં જણાવાયું છે માટે ગ્રીષ્મા જોષી, શરદ જોષી, પરાગ માંડવીયા અને પોલીસ કર્મચારી કિશન ગોરાણીયા, સમીર જુણેજા અને રવી જોષી ઉપર કૌભાંડની ફરિયાદ દાખલ કરવાની અરજીમાં માંગ કરવામાં આવી છે. અરજી દ્વારા આ મામલે મીડીયા સમક્ષ પોતાની વાત રજુ કરવામાં આવી હતી અને અને તેના જણાવ્યા અનુસાર જે તે વખતના બનાવ સમયની તેની અને પોલીસ કર્મચારી વચ્ચે થયેલ વાતચીતની બે ઓડિયો ક્લીપ પણ મિડીયાને આપવામાં આવી હતી.જીતેન્દ્ર પારેખ દ્વારા જે રીતે અરજીમાં નામાંકિત વકીલ ગ્રીષ્મા જોષી તથા શરદ જોશીના બ્લેકના રૂૂપિયા તેને સાચવવા આપવા તથા હવાલો આપવા સહિતના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મામલે જેના પર બ્લેકના રૂૂપિયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તે વકીલ ગ્રીષ્મા જોષીએ આ અંગે એવું જણાવ્યું હતું કે, આ તદ્દન ખોટી અરજી કરી છે અને માત્ર બ્લેકમેઇલ કરી પૈસા પડાવવાના ઇરાદે આ અરજી કરવામાં આવી છે. મેં આ જે વ્યક્તિએ અરજી કરી છે તે વ્યક્તિને 1 કરોડ 35 લાખ તો શું પરંતુ એક રૂૂપિયો પણ ક્યારેય તેને આપ્યો હોય તેવું બન્યું નથી હું તેને પર્સનલ ઓળખતી પણ નથી અને મારે તેની જોડે કોઈ સંબંધ પણ નથી આ વ્યક્તિ દારૂૂ પીને અમારી ઓફિસની બહાર બેસીને તોફાન કરતો હતો તેથી મારા બ્રધરે પોલીસને જાણ કરી તેને ઉઠાડી મુક્યો હતો એટલે અથવા મારા હિત શત્રુના ચડાવવાના કારણે અરજી કરી હોય તેમ લાગે છે જે તદ્દન ખોટી છે આવી કોઇ ઘટના બની જ નથી તેમ તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું.જીતેન્દ્ર પારેખ દ્વારા કરવામાં આવેલા અરજી અંગે ઇન્ચાર્જ પોરબંદર સીટી ડીવાયએસપીએ એવું જણાવ્યું હતું કે, અમને આ અરજી મળી છે જે અરજીની તપાસ કરી ત્યારબાદ આગળની જરૂૂરી કાર્યવાહી છે તે કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતુ. જીતેન્દ્ર પારેખ દ્વારા જે રીતે અરજીમાં શહેરના નામાંકિત વકીલ પર બ્લેકના રૂૂપિયા તેમને સાચવવા આપવા તથા એસ.ઓ.જી પોલીસ કર્મચારીઓ પર હવાલા સહિતના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે જે આક્ષેપોને વકીલે ખોટા ગણાવ્યા છે ત્યારે હાલ તો આ અરજી મામલે પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે ત્યારે જોવું રહ્યું આગામી સમયમાં આ મામલે શું તથ્ય બહાર આવે તે તો આગામી સમયમાં જ જાણી શકાશે પરંતુ હાલ તો આ મામલે ભારે ચર્ચા જગાવી છે.
પોરબંદર
વગર મોસમની કેરીના એક બોકસના રેકોડબ્રેક રૂા.15510 ભાવ ઉપજ્યા

પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે 4 બોક્સ કેરીની આવક થઇ હતી અને એક બોક્સના 15510 રૂૂપિયા જેવા રેકોર્ડબ્રેક ભાવે તેનું વેચાણ થયું હતું. પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે બે દિવસ પહેલા 600થી 700 રૂૂપિયે કિલો લેખે કેરીના ત્રણ બોક્સનું વેચાણ થયું હતું. ત્યાર બાદ ગઈકાલે વધુ 4 બોક્સ કેરીની આવક થઇ હતી.
આ અંગે યાર્ડમાં પેઢી ધરાવતા કેતનભાઈ રાયચુરાએ જણાવ્યું હતું આજે ખંભાળા પંથકમાંથી બે બોક્સ કેરીની આવક થઇ હતી.
આથી હરરાજીમાં તે 1551 રૂૂપિયાની કિલો એટલે કે 1 બોક્સના 15510 રૂૂપિયાના ભાવે વેચાણ થયું હતું. યાર્ડના અને કદાચ સૌરાષ્ટ્રના ઈતિહાસમાં આ ભાવ સૌથી ઉંચો હોવાનું તેઓએ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે ચાર દાયકાથી તેઓ ફ્ળોનો હોલસેલ વેપાર કરે છે. સીઝન દરમિયાન જે ભાવ બોક્સનો હોય છે તે ભાવે આજે એક કિલો કેરીનું વેચાણ થયું છે.
એ સિવાય અન્ય એક વેપારી નીતિનભાઈ દાસાણીને ત્યાં પણ જાંબુવંતીની ગુજ્ઞ નજીક આવેલ જ્ઞર્મમાંથી બે પેટી કેરીની આવક થઇ હતી. ત્યાં પણ કિલોના 1551 રૂૂપિયાના ભાવે બન્ને પેટીની હરરાજી થઇ હતી. આમ ચાર બોક્સ કેરીનો ભાવ 62040 રૂૂપિયા ઉપજ્યો હતો. સમગ્ર દેશમાં એકમાત્ર પોરબંદર શહેરમાં જ શિયાળા દરમિયાન પણ યાર્ડમાં આ વર્ષે કેરીની આવક થઇ છે. છેલ્લા બે વર્ષથી શિયાળા દરમ્યાન જ યાર્ડમાં કેરીની આવક થાય છે ત્યારે સુકા મેવા કરતા પણ વધુ ભાવે કેરીનું વેચાણ થતા ઉપસ્થિત ગ્રાહકો પણ આશ્ચર્યચકિત થયા હતા.
કેતનભાઈએ હરરાજીમાં ઉપસ્થિત સૌનું પેંડાથી મોઢું મીઠું કરાવી ગુલાબના ફૂલથી કેરીના વધામણા કર્યા હતા. જો કે કેરીનું હોલસેલમાં 1551 રૂૂપિયાના કિલો લેખે વેચાણ થયું હતું ત્યારે તેનું રીટેલમાં શું ભાવે વેચાણ થાય છે અને આટલી મોંથી કેરી કોણ ખરીદે તે પણ જોવાનું રહ્યું છે. જો કે લોકો ઉનાળાની ગરમી કેરીનો સ્વાદનો સ્વાદ માણતા હોય છે, પરંતુ ભર શિયાળા કેરીનો સ્વાદ માણવા મળે તો કેટલાક કેરીના શોખીનો કોઈ પણ ભાવે ખરીદે છે તેવું પણ વેપારીઓએ જણાવ્યું હતું.
પોરબંદર
પોરબંદરના રાજકારણી વિરૂધ્ધ 20 લાખની છેતરપિંડીની ફરિયાદ

પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના ભૂતપૂર્વ અંગત મદદનીશ અને પ્રતિષ્ઠિત નામના ધરાવતા સમાજસેવક અને રાજકારણી લાખણશી ગોરાણીયા વિરુદ્ધ જિલ્લા પોરબંદર જિલ્લા પોલીસ વડાને ફરિયાદ અરજી કરવામાં આવી છે. તેમને ઉછીના અપાયેલા 20 લાખ રુપિયા હજુ પરત ન કરતાં હોવાની ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદરના રહેવાસી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના ભૂતપૂર્વ અંગત મદદનીશ અને પ્રતિષ્ઠિત નામના ધરાવતા સમાજસેવક અને રાજકારણી લાખણશી લીલાભાઈ ગોરાણીયા વિરુદ્ધ દિનસુધાબેન પ્રભુદાસ ઠકરાર દ્વારા પોરબંદર જિલ્લા પોલીસ વડાને ફરિયાદ અરજી કરવામાં આવી છે. જેમાં લાખણશી ગોરાણીયાએ વર્ષો પહેલાં 20 લાખ રુપિયા ઉછીના લઇ હજુ સુધી પરત ન કરવાની રજૂઆત કરવામાં આવી છે.
લાખણશી ગોરાણીયા સમાજસેવક ફરિયાદની વિગતો જોઇએ તો ફરિયાદી દિનસુધાબેન ઠકરારે કરેલી અરજીમાં જણાવાયું છે કે વર્ષો પહેલા તેમના પતિ પાસેથી ઉછીના લીધેલ 20 લાખ રૂૂપિયા પરત આપવામાં આવ્યાં નથી. પોરબંદરમાં લાખણશી લીલાભાઈ ગોરાણીયા સમાજસેવક હોવા સાથે રાજકારણમાં પણ છે. તેઓ જેસીઆઈ સંસ્થાના સ્થાપક પ્રમુખ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના હાલના પ્રમુખ પણ છે.
2014માં આપ્યાં 20 લાખ પોરબંદરના બિરલા હોલ રોડ પર આવેલ દીપપ્રભુ બંગલામાં રહેતા દિનસુધાબેન ઠકરારે આજે પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાને ઉલ્લેખીને એક ફરિયાદ અરજી આપેલી છે. જેમાં જણાવ્યું છે કે દિનસુધાબેનના સ્વર્ગસ્થ પતિએ તારીખ 4 /7 /2014 ના રોજ ચાર લાખ રૂૂપિયા અને છ લાખ રૂૂપિયાની રકમ લાખણશી ગોરાણીયાને હાથ ઉછીના પેટે આપેલ હતી. ત્યારબાદ એ જ રોજ તારીખ 4/ 7/ 2014 ના રોજ બીજા ચાર લાખ અને છ લાખની રકમ હાથ ઉછીના પેટે આપી હતી એટલે કુલ 20 લાખ હાથ ઉછીના પેટે લાખણશી ગોરાણીયાને આપેલા હતાં. ત્યારબાદ વર્ષ 2016માં પ્રભુદાસ જગજીવનદાસ ઠકરારનું નિધન થઈ ગયું હતું.
દિનસુધાબેનને નાણાંની જરુર પડી પતિના નિધન બાદ દિનસુધાબેનને રૂૂપિયાની જરૂૂર પડતા તેમણે લાખણશી ગોરાણીયા પાસેથી અનેકવાર રકમ પરત મેળવવા માંગણીઓ કરી હતી. પરંતુ હાલ 27 /11/ 2023 સુધી 20 લાખ રુપિયા પરત આપવામાં આવેલા નથી. જેથી આજે પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાને રૂૂપિયા પરત અપાવવા માટે ફરિયાદ અરજી કરેલ છે. તેમણે બિડાણમાં 20 લાખના વ્યવહારની બેન્ક ડિટેલ પણ શામેલ કરી છે.
લાખણશી ગોરાણિયાની પ્રતિક્રિયા જ્યારે તેમની સામે કરવામાં આવેલી 20 લાખ રુપિયા પરત ન આપવાની અરજી વિશે પૃચ્છા કરવામાં આવી ત્યાતે લાખણશી ગોરાણીયાએ ફરિયાદને સામાજિક પ્રતિષ્ઠા બગાડવા માટેનું ષડયંત્ર છે તેમ કહ્યું હતું. લાખણશી ગોરાણીયા સાથે ફોનથી સંપર્ક કરતા તેઓએ લગ્ન પ્રસંગે વ્યસ્ત હોવાથી કાલે મળશે તેમ જણાવ્યું હતું અને આ સમગ્ર બાબતમાં તેઓની સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠા બગાડવાનું એક ષડયંત્ર હોવાનો બચાવ કરેલો હતો.
પોરબંદર
પોરબંદરમાં બેફામ કારચાલકે પાંચને ઉલાળ્યા, મહિલા TRBનું મોત

પોરબંદર શહેરના કર્લી પુલ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં હાઈ સ્પીડે આવતી કારે ગંભીર અકસ્માત સર્જતા ત્રણ જેટલા મોટરસાયકલને હડફેટે લેતા કુલ ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે એકનું મોત નિપજ્યુ છે.
પોરબંદર શહેરના કર્લી પુલ પર રાત્રીના સમયે એક હોન્ડા સીટી કારએ ગંભીર અકસ્માત સર્જયો હતો.આ અકસ્માતમાં કારે ત્રણ જેટલા વાહન ચાલકોને હડફેટે લેતા કુલ પાંચ જેટલા વ્યકતિઓ ઈજાગ્રસ્ત થયા હતા.જે પૈકી કારે મોટરસાયકલોને ટક્કર મારતા બે લોકો પુલની નીચે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.પાણીમાં પડેલા બંને વ્યક્તિઓને પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ દ્રારા રેસ્કયુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.ત્યાર બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે શહેરની સરકારી ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જેમા સારવાર દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ અને ટીઆરબી તરીકે ફરજ બજાવતી શિવાની લાખાણી નામની યુવતીનુ મોત નિપજ્યું હતુ.
આ ઘટનાની જાણ થતા રસ્તા પરથી પસાર થતા રાહદારીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા,જેને પગલે પુલ પર ભારે ટ્રાફીક સર્જાયો હતો.
અકસ્માત સર્જનાર હોન્ડા સીટી કાર ઘટના બાદ ફરાર થઈ ગયા હતા અને તેઓ કાર ચલાવતી સમયે પણ પીધેલા હોઇ અને ચાલુ કારે પાર્ટી કરતા હોવાનું અનુમાન છે. કમલાબાગ પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે અને કારમાં કેટલા લોકો સવાર હતા અને તેઓ કોણ હતા તથા નશો કરેલી હાલતમા હતા કે કેમ તે સહિતની વિગતો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
અમદાવાદના ઈસ્કોન બ્રીજની ઘટનાની યાદ તાજી કરાવતી પોરબંદરની ઘટનામાં કાર ચાલક નશામાં હોવાની ચર્ચા ચાલી રહી છે. અકસ્માત બાદ કાર ચાલક કાર રેઢી મુકીને નાસી ગયો હતો જ્યારે કારમાંથી વિદેશી દારૂ અને ગ્લાસ પણ મળી આવ્યા હોવાની લોક મુખે ચર્ચા ચાલી રહી છે. આ બનાવ બાદ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની ચક્રોગતિમાન કર્યા છે.
-
Sports2 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર1 month ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર1 month ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
સુરેન્દ્રનગર1 month ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર2 months ago
માણાવદરમાં વીજતારમાં ફસાયેલી પતંગ લેવા જતા તરૂણને કરંટ લાગ્યો