સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ, મુંબઈ એ ધીરુભાઈ અંબાણી ઓક્યુપેશનલ હેલ્થ અને કોમ્યુનિટી મેડિકલ સેન્ટર, જામનગરના સહયોગથી એક ટેલિ-રોબોટિક સર્જરી પ્રોગ્રામ શરૂૂ કર્યો છે. રિલાયન્સ જિયો દ્વારા સંચાલિત, આ પહેલ ભારતમાં રિમોટ સર્જિકલ કેરના નવા યુગનો પ્રારંભ કરે છે. આ પ્રોગ્રામ દ્વારા,HNRFHના નિષ્ણાત સર્જનો દેશભરના સહયોગી હેલ્થકેર સેન્ટરો પર રિમોટલી રોબોટિક-આસિસ્ટેડ સર્જરી કરશે અને માર્ગદર્શન આપશે – જે નોન-મેટ્રો અને ભૌગોલિક રીતે અંતરિયાળ વિસ્તારોમાં દર્દીઓને સીધી વિશિષ્ટ, ઉચ્ચ-ચોકસાઈવાળી સંભાળ પૂરી પાડશે.આ કાર્યક્રમનો હેતુ ભૌગોલિક રીતે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા દર્દીઓને અદ્યતન સર્જિકલ સારવાર મેળવતા અટકાવતા અવરોધો દૂર કરવાનો છે. મુસાફરીની જરૂૂરિયાત ઘટાડીને અને નિષ્ણાતો સુધી સમયસર પહોંચ સુનિશ્ચિત કરીને, આ પહેલ શહેરી-ગ્રામીણ આરોગ્ય સંભાળના અંતરને નોંધપાત્ર રીતે ઘટાડે છે.
આ પ્રોગ્રામ હેઠળ પ્રથમ ટેલિ-રોબોટિક સર્જરી હોસ્પિટલના ડાયરેક્ટર ઓફ યુરોલોજી-ઓન્કોલોજીના નેતૃત્વમાં કોમ્યુનિટી મેડિકલ સેન્ટર, જામનગર, ગુજરાત ખાતે સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ સીમાચિહ્નરૂૂપ સિદ્ધિ ભારતના ટેલિમેડિસિન અને રોબોટિક સર્જરીના ક્ષેત્રમાં એક નવો માપદંડ સ્થાપિત કરે છે. ડો. તરંગ જ્ઞાનચંદાની, ગ્રુપ CEO – હેલ્થકેર ઇનિશિયેટિવ્સ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલએ જણાવ્યું હતું કે: દાયકાઓથી, વિશિષ્ટ સર્જિકલ કેર કેટલાક શહેરી કેન્દ્રોમાં કેન્દ્રિત રહી છે, જેના કારણે લાખો લોકો સમયસર સારવારથી વંચિત રહી જાય છે. અમારા ટેલિ-રોબોટિક સર્જરી પ્રોગ્રામ દ્વારા, અમે અદ્યતન રોબોટિક્સ અને સુરક્ષિત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ભારતમાં જટિલ સર્જિકલ કેર કેવી રીતે પહોંચાડવામાં આવે છે તેની પુન:કલ્પના કરીને તે વાસ્તવિકતા બદલી રહ્યા છીએ.
મુંબઈમાં અમારા સર્જનોને દેશભરના દર્દીઓ માટે રિમોટલી સર્જરી કરવા માટે સક્ષમ બનાવીને, વર્લ્ડ-ક્લાસ કુશળતાની જ્યાં તેની સૌથી વધુ જરૂૂર છે ત્યાં લઈ જઈ રહ્યા છીએ. આ પહેલ અમારી એ માન્યતાને પ્રતિબિંબિત કરે છે કે ટેકનોલોજી, કરુણા અને જવાબદારી દ્વારા માર્ગદર્શન પામીને, લોકોની સેવા કરવી જોઈએ – ગરિમા, સાતત્ય અને વિશ્વાસ સાથે ઘરની નજીક ઉત્તમ સારવાર પહોંચાડવી જોઈએ. અનીશ શાહ, COO, જિયો પ્લેટ ફોર્મ્સએ જણાવ્યું હતું કે “જામનગરમાં રિમોટ લોકેશન પર ટેલિ-રોબોટિક સર્જરી પ્રોગ્રામ એ વાતનું શક્તિશાળી પ્રદર્શન છે કે જિયોનું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રાષ્ટ્રીય સ્તરે આવશ્યક સેવાઓને કેવી રીતે બદલી શકે છે. અમારું વિઝન હંમેશા એક કનેક્ટેડ, ટેકનોલોજીકલી સશક્ત ભારત બનાવવાનું રહ્યું છે,

