Site icon Gujarat Mirror

રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું 250 કરોડનું સપનાનું ઘર તૈયાર

બોલીવૂડ ના લોકપ્રિય કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હવે તેમના નવા ઘરમાં રહેવા માટે તૈયાર છે. આ ઘરને કૃષ્ણા રાજ બંગલો નામ આપવામાં આવ્યું છે, જે રણબીરની દાદી કૃષ્ણા રાજ કપૂર ના નામ પર છે. આ ચાર માળનું આલિશાન ઘર મુંબઈમાં આવેલું છે અને તેની અંદરથી બહાર સુધીની ભવ્યતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ પ્રોપર્ટી મૂળરૂૂપે રાજ કપૂર અને કૃષ્ણા રાજ કપૂરની હતી, જે પછી ઋષિ કપૂર અને નીતૂ કપૂરને આપવામાં આવી હતી. હવે રણબીર અને આલિયાએ આ વારસાને આગળ વધાર્યું છે. આ બંગલો લગભગ 250 કરોડનો છે અને એવી અપેક્ષા છે કે તે તેમની પુત્રી રાહા ના નામે રજીસ્ટર કરવામાં આવશે.રણબીર અને આલિયા લાંબા સમયથી આ ઘરના તૈયાર થવાની રાહ જોઈ રહ્યા હતા. હવે જ્યારે ઘર તૈયાર થઈ ગયું છે, ત્યારે તેઓ જલ્દી જ નીતૂ કપૂર અને પુત્રી રાહા સાથે નવા ઘરમાં પ્રવેશ કરી શકે છે. આ બંગલાની દરેક બાલ્કનીમાં હરિયાળી જોવા મળે છે અને ટોપ ફ્લોર પર સુંદર ગાર્ડન બનાવવામાં આવ્યું છે. ઘરના અંદરના ભાગમાં ભવ્ય ઈન્ટિરિયર અને શાંતિપૂર્ણ વાતાવરણ છે.

Exit mobile version