Site icon Gujarat Mirror

ઐયર અને જયસ્વાલને ટીમમાં સ્થાન ન મળતા આર. અશ્વિને ઉઠાવ્યા સવાલ

યુટયુબ ચેનલ ‘એશ કી બાત’માં ભૂતપૂર્વ સ્પિનરે દુ:ખ વ્યક્ત કર્યું

એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. શુભમન ગિલ ટી20 ટીમમાં પાછો ફર્યો છે, અને તેને એશિયા કપ માટે ઉપ-કપ્તાન પણ બનાવવામાં આવ્યો છે. તે જ સમયે, યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ ઐયર જેવા અનુભવી ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું નથી. એશિયા કપ ટીમમાં આ બે ખેલાડીઓના નામ ન જોતાં ભૂતપૂર્વ ભારતીય અનુભવી સ્પિનર આર. અશ્વિન ગુસ્સે છે. તે ઐયર અને જયસ્વાલની પસંદગી ન થવાથી દુ:ખી છે.

આર અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ ‘એશ કી બાત’માં કહ્યું હતું કે પસંદગી એક એવું કામ છે જેમાં કોઈને હંમેશા બહાર રાખવામાં આવશે. જ્યારે તમે તેમની સાથે વાત કરો છો, ત્યારે તમે તેમના ચહેરા પર નિરાશા અને ઉદાસી અનુભવી શકો છો. આશા છે કે કોઈએ શ્રેયસ અને જયસ્વાલ સાથે વાત કરી હશે.

અશ્વિને આગળ કહ્યું કે જ્યારે તમારી પાસે ત્રીજા ઓપનર તરીકે જયસ્વાલ હોય છે, ત્યારે તમે વર્લ્ડ કપ વિજેતા ટીમમાંથી એકને હટાવીને શુભમન ગિલને લાવ્યા છો. હું શુભમન માટે ખુશ છું પણ શ્રેયસ અને જયસ્વાલ માટે દુ:ખી છું. તે બંને સાથે સારું નથી થયું.

ભૂતપૂર્વ સ્પિનરે આગળ કહ્યું કે ઐયરનો રેકોર્ડ જુઓ. તે ટીમની બહાર હતો પણ પછી ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર બેટિંગ કરી. તેણે તમને ટુર્નામેન્ટ જીતી અપાવી. જો જવાબ એ હોય કે શુભમન ગિલ પણ શાનદાર ફોર્મમાં છે, તો શ્રેયસ ઐયર પણ છે. ઓવલ ખાતે છેલ્લી મેચમાં જયસ્વાલે મુશ્કેલ પીચ પર શાનદાર ઇનિંગ્સ રમી હતી. આનો જવાબ શું હશે?

Exit mobile version