Connect with us

રાષ્ટ્રીય

પ્રથમ સમાનવ ગગનયાન મિશનની તૈયારી પૂર્ણ, કાલે ટેસ્ટ ફલાઇટનું ઉડાન

Published

on

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ તેના ગગનયાન મિશનની તૈયારી લગભગ પૂર્ણ કરી લીધી છે. ગગનયાન મિશન હેઠળ ઝટ-ઉ1 તેના પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ માટે કાલે ઉડાન ભરશે. જે સવારે આઠ વાગ્યે શ્રી હરિકોટાથી રવાના થશે.

પ્રોગ્રામ સાથે સંકળાયેલા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પ્રથમ ટેસ્ટ ફ્લાઇટના પરિણામોના આધારે અન્ય પરીક્ષણો હાથ ધરવામાં આવશે. આ સમય દરમિયાન ક્રૂ મોડ્યુલનું પરીક્ષણ કરવામાં આવશે. જેમાં ક્રૂ એસ્કેપ સિસ્ટમ પણ સામેલ છે. ગગનયાનના આ ભાગનો ઉપયોગ ત્રણ ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જવા માટે કરવામાં આવશે. ઈંજછઘ ત્રણ દિવસના ગગનયાન મિશન માટે પૃથ્વીની 400 કિમીની નીચી ભ્રમણકક્ષા પર માનવોને અવકાશમાં મોકલવાનું અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનું લક્ષ્ય રાખે છે.

આ પરીક્ષણ શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરવામાં આવશે. જેમાં ક્રૂ મોડ્યુલની ફ્લાઇટ, તેનું લેન્ડિંગ અને સમુદ્રમાંથી રિકવરી સામેલ હશે.મોડ્યુલ પરત ફરતા બંગાળની ખાડીમાં લેન્ડ થવાનું છે. જે ભારતીય નૌકાદળ દ્વારા રિકવર કરવામાં આવશે. આ માટે નૌકાદળના જવાનોની ડાઇવિંગ ટીમ બનાવવામાં આવી છે. આ ઉપરાંત મિશન માટે એક જહાજ પણ તૈયાર કરવામાં આવશે. ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગ અને સૂર્ય પર આદિત્ય-એલ1ના સફળ પ્રક્ષેપણ પછી ગગનયાન મિશન ભારતને ખગોળશાસ્ત્ર પર કામ કરતા અગ્રણી દેશોમાંથી એક બનાવશે.

ઈસરોના જણાવ્યા અનુસાર ફ્લાઇટ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન 1ની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ ક્રૂ-એસ્કેપ સિસ્ટમ મિશનમાં કોઈ અપ્રિય ઘટનાના કિસ્સામાં અવકાશયાત્રીઓને બચાવવા માટે ઉપયોગી થશે. જો ટેક-ઓફ દરમિયાન મિશનમાં કોઈ ભૂલ થશે તો સિસ્ટમ ક્રૂ મોડ્યુલ સાથે વાહનથી અલગ થઈ જશે. થોડા સમય માટે ઉડાન ભરશે અને શ્રીહરિકોટાથી 10 કિમી દૂર દરિયામાં ઉતરશે. તેમાં હાજર અવકાશયાત્રીઓને નેવી દ્વારા સમુદ્રમાંથી સુરક્ષિત પરત લાવવામાં આવશે.

ઝટ-ઉ1 વાહન વિકાસ એન્જિનનો ઉપયોગ કરે છે, જેમાં ક્રૂ મોડ્યુલ અને ક્રૂ એસ્કેપ સિસ્ટમ આગળના છેડે માઉન્ટ થયેલ છે. વાહનની લંબાઈ 34.9 મીટર છે, જ્યારે તેનું વજન 44 ટન છે. ગગનયાન ભારતનું પ્રથમ અવકાશ મિશન છે, તેને આવતા વર્ષના અંત સુધીમાં અથવા 2025ની શરૂૂઆતમાં મોકલી શકાય છે. 2024 માં માનવરહિત પરીક્ષણ ઉડાન હશે, જેમાં વ્યોમામિત્ર રોબોટ મોકલવામાં આવશે.

રાષ્ટ્રીય

તહેવારો પછી બજારોમાં સુસ્તી: વેપારીઓ પાસે માલભરાવો

Published

on

By

દિવાળી પસાર થતાંની સાથે જ લોકોએ બજારથી મોં ફેરવી લીધું છે. હવે કોઈ પૈસા ખર્ચવા તૈયાર નથી. ઋખઈૠ રિટેલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સ પાસે કરોડોનો માલ અટવાયેલો છે.તહેવારોની મોસમનો અંત: દેશની તહેવારોની મોસમ હવે તેના અંતને આરે છે. નવરાત્રીથી શરૂૂ થતા તહેવારોએ બજારમાં ઉત્સાહ ભરી દીધો હતો. આ સમયગાળા દરમિયાન, ઝડપથી વધતી ખરીદીની માંગને કારણે વેપારીઓને વધુને વધુ માલ એકત્રિત કરવાની ફરજ પડી હતી.

જો કે દિવાળી પસાર થતાની સાથે જ લોકોએ બજાર તરફ મોં ફેરવી લીધું છે. હવે કોઈ ખરીદી પર પૈસા ખર્ચવા તૈયાર નથી. આ જ કારણ છે કે હાલમાં દેશના લગભગ તમામ બજારોમાં નીરવ શાંતિ છે. ઋખઈૠ સેક્ટરના રિટેલર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સ પાસે કરોડોનો માલ અટવાયેલો છે. તેઓ ચિંતિત છે કે સપ્લાય ચેઈન ક્યારે ઠીક થશે અને તેમના અટવાયેલા પૈસા ક્યારે પરત મળશે.

બજારના જાણકારોનું કહેવું છે કે આ વર્ષે તહેવારોની સિઝનમાં જે માંગની અપેક્ષા હતી તે નથી. રિટેલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સે આ અપેક્ષા મુજબ માલ એકત્રિત કર્યો હતો. પરંતુ હવે માંગ નહિવત થઈ ગઈ છે જે મુશ્કેલીનું કારણ બની ગઈ છે. દિવાળી સુધી લોકોમાં ખરીદીનો ઉત્સાહ રહ્યો હતો. પરંતુ, ત્યારથી બજારોમાં ઠંડી પડી ગઈ છે. બિસ્કિટ, ચોકલેટ અને ક્ધફેક્શનરી સેગમેન્ટમાં માંગ સૌથી વધુ ઘટી છે. દિવાળી પછી ગિફ્ટ પેક અટવાઈ પડે છે. તેમની માંગ સૌથી ઓછી હતી.

બ્યુટી અને કોસ્મેટિક પ્રોડક્ટ્સ સૌથી ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.
ઉપરાંત, સાબુ અને ડિટર્જન્ટ પણ ખૂબ સારી સ્થિતિમાં નથી. તેમની આસપાસ ઘણો સ્ટોક પડેલો છે. આમાં ફસાયેલા પૈસા રિટેલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સ માટે મુશ્કેલીનું કારણ બની રહ્યા છે. જે માલ એકથી બે અઠવાડિયામાં ડિલિવરી થતો હતો તે હવે ડિલિવરી થવામાં એક મહિનો લાગી રહ્યો છે. ઉપરાંત વધુ ક્રેડિટ આપવી પડશે. આંકડા મુજબ દેશમાં લગભગ ચાર લાખ વિતરકો અને સ્ટોકિસ્ટો છે.

Continue Reading

રાષ્ટ્રીય

લઘુમતી શિષ્યવૃત્તિ માટે 25.5 લાખ અરજદારોમાંથી 26% બોગસ નીકળ્યા

Published

on

By

2022-23 માટે લઘુમતી બાબતોના મંત્રાલયની લઘુમતી શિષ્યવૃત્તિ યોજના માટે રાજ્યો દ્વારા ચકાસવામાં આવેલા 25.5 લાખ અરજદારોની ચકાસણીમાં એક ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે. કુલ અરજીએમાંથી 6.7 લાખથી વધુ અરજદારો અસ્તિત્વમાં ન હોવાનું જાણવા મળ્યું હતું, અને નકલી લાભાર્થીઓ સાથેનું કૌભાંડ બહાર આવ્યું હતું. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે 1 લાખથી વધુ સંસ્થાકીય નોડલ અધિકારીઓ (ઈંગઘ) અને તે જ સંખ્યામાં સંસ્થાઓના વડાઓ (ઇંજ્ઞઈં) જેઓ અરજીઓની ચકાસણી માટે જવાબદાર હતા, 5,422 ઈંગઘ અને 4,834 ઇંજ્ઞઈંત બાયોમેટ્રિક પ્રમાણીકરણ કવાયત દરમિયાન ગુમ થયા હતા.

મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્ક્રુટિની દર્શાવે છે કે માત્ર 2022-23માં રિન્યુઅલ કેટેગરી હેઠળ 30% અરજદારો બોગસ હોવાનું જણાયું હતું. 2021-22માં, મંત્રાલયને 30 લાખ અરજીઓ મળી હતી જેમાંથી 9.1 લાખ નવીકરણ માટે હતી.

સંસ્થાકીય નોડલ અધિકારી દ્વારા ચકાસણી બાદ જિલ્લા સ્તરે નોડલ લઘુમતી અધિકારીની મંજૂરી અને યોગ્ય પ્રમાણપત્ર સાથે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા લાભ ટ્રાન્સફર દ્વારા નાણાં આપવામાં આવે છે.

ગુમ થયેલા લાભાર્થીઓ, નોડલ અધિકારીઓ અને સંસ્થાઓના વડાઓ પરના તારણો લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા સીબીઆઈ સાથે શેર કરવામાં આવશે, જે પહેલેથી જ લઘુમતી શિષ્યવૃત્તિઓમાં ગંભીર ગેરરીતિઓના આરોપોની તપાસ કરી રહી છે.

Continue Reading

રાષ્ટ્રીય

પાંચ રાજ્યોના પરિણામો સાથે લોકસભાની ચૂંટણીની શતરંજ ગોઠવાશે

Published

on

By

કર્ણાટકમાં કોંગ્રેસ, કેરલમાં ડાબેરીઓ અને તામિલનાડુમાં ડીએમકેનો દબદબો: તેલંગણા કોંગ્રેત જીતે તો આંધ્રમાં રિયલ ઇફેકટની વકી, છતાં દક્ષિણનાં જોરે વિપક્ષી ગઠબંધન માટે કેન્દ્રમાં સત્તા મેળવવી મુશ્કે

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ અને તેલંગણા રાજયોની ચુંટણીની મતગણતરી આવતીકાલે સવારે થશે. મિઝોરમમાં મતગણતરી સોમવારે થશે. મતગણતરીની પુર્વસંધ્યાએ એકિઝટ પોલ્સના સંદર્ભમાં કોેંગ્રેસ અને ભાજપના નેતાઓ સોગઠા ગોઠવવા લાગ્યા છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી ગેહલોત અને પુર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે ગઇકાલે રાજયપાલને મળ્યા હતા. બન્નેને મુલાકાતને શિષ્ટાચાર ગણાવી હતી. પણ રાજકીય સુત્રોના જણાવ્યા મુજબ ત્રિશંકુ વિધાનસભાની શકયતાને લઇ વાતચીત થઇ હતી. ભાજપ હાઇકમાંડના નિર્દેશથી વસુંધરા રાજેએ અપક્ષો અને નાના પક્ષોનો ટેકો લેવા સંપર્ક સ્થાપિત કર્યો છે. ગેહલોત પણ પ્લાન બીની વાત કરી રહ્યા છે.

કોંગ્રેસ માટે છતીસગઢમાં સત્તા જળવી મધ્યપ્રદેશને કબજે કરવાનું મહત્વનું છે. એમપીમાં સત્તા મળે તો રાજસ્થાનમાં સત્તા ગુમાવવાનો શોક નહીં રહે, કેમ કે આ રાજયમાં દર પાંચ વર્ષે પરિવર્તન થાય છે. મધ્યપ્રદેશમાં પનો ટુંકો પડે અને રાજસ્થાનમાન ફરી સત્તા મળે તો પણ કોંગ્રેસને આશ્વાસન મળશે. તેલંગણા અને છતીસગઢ નાના રાજયો છે અને ત્યાં સતા મળે તો પણ લોકસભાની દ્રષ્ટિએ કોંગ્રસેને સંખ્યાબળ વધારવામાં બહુ મદદ નહીં મળે. દેશના રાજકારણમાં હિંદી હાર્ટલેન્ડ અથવા હિંદીભાષા રાજયો પાસે કેન્દ્રમાં સત્તા મેળવવાની ચાવી છે. પાંચ રાજયોના પરિણામો લોકસભાની ચુંટણીની રણનીતિ નકકી કરશે. યુપીમાં કોંગ્રેસની કારી 2024માં ફાવે તેમ નથી. બિહારમાં વિપક્ષી ગઠબંધન સત્તા પર છે. પણ લોકસભામાં વિજય માટે આરજેડી, જેડીયુ અને કોંગ્રેસે સરસાઇ સાબીત કરવી પડશે. ચાલીસથી વધુ લોકસભાની બેઠકો ધરાવતા મહારાષ્ટ્ર, તામિલનાડુ ને પશ્ચિમ બંગાળ એનડીએ અને ઇન્ડીયા ગઠબંધન માટે અગત્યના છે. અડધી બેઠકો કબજે કરવાની સ્થિતિમાં છે. પણ મહારાષ્ટ્રમાં મહાઅઘારી સામે શિંદેજૂથ ભાજપ અને એનસીપી એક થતાં સારો દેખાવ કરવાની વિપક્ષની આશા પર પાણી ફરી વળ્યું છે. તામિલનાડુ મોટાભાગે ડીએમકે, ઇન્ડીયા, ગઠબંધન સાથે રહેશે પણ દક્ષિણના જોરે સત્તા હાંસલ કરવાનું કોંગ્રેસ, સહયોગી પક્ષો માટે મુશ્કેલ છે. અલબત તેલંગણામાં સત્તા મળી તો કોંગ્રસે આંધ્રપ્રદેશ અને ઓડીશામાં સ્થિતિ મજબુત કરવા પ્રયાસ કરશે. આમછતાં 2024માં મોદીનો વિજયરથ રોકવો મુશ્કેલ છે પણ ઇન્ડિયા ગઠબંધન ભાજપને એકલા હાથે બહુમતી મળતા રોકી એનડીએ સહયોગી પર નિર્ભર કરી શકે તો એ મોટી સિધ્ધી ગણાશે.

એકિઝટ પોલના સંકેતો સુચવે છે કે રાજકીય વગ અને પ્રભાવની દ્રષ્ટિએ ઉત્તર અને દક્ષિણ ભારત બે ભાગમાં વહેંચાઇ જાય છે. કર્ણાટકમાં કોંગ્રેસ, કેરલમાં ડાબેરીઓ અને તામિલનાડુમાં ડીએમકેનો દબદબો છે. દક્ષિણના એકપણ રાજયમાં ભાજપની સત્તા નથી એ જોતા તેનો પ્રચંડ બહુમતી માટે યુપી, બિહાર અને મહારાષ્ટ્ર પર મદાર વધ્યો છે.

કોંગ્રેસ છતીસગઢ અને તેલંગણા સિવાય રાજસ્થાન કે મધ્યપ્રદેશમાં વિજયી બને તો એને હિંદી રાજયોમાં પગ જમાવવાની વધુ એક તક મળશે. અલબત ભુતકાળની વોટિંગ પેટર્ન સુચવે છે કે મતદારોએ રાજયોમાં વિપક્ષને સત્તા સોંપી હોય તો પણ લોકસભાની ચુંટણીમાં મોદી- ભાજપને પસંદ કર્યા છે. 2024માં આ સિલસિલો જળવાઇ રહે તેવી સંભાવના છે. છતાં રસપ્રદ એ રહેશે કે વિપક્ષી ગઠબંધન ભાજપની બહુમતીમાં કેટલું ગાબડું પાડે છે.

રાજસ્થાનમાં ત્રિશંકુ વિધાનસભાની શકયતાથી ભાજપ-કોંગ્રેસ જોડતોડની વેતરણમાં

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્વ સીએમ વસુંધરા રાજેની સક્રિયતા વધી ગઈ છે. વસુંધરા રાજે શુક્રવારે જયપુરમાં આરએસએસ કાર્યાલય ભારતી ભવન પહોંચ્યા હતા. વસુંધરા રાજેએ સંઘના અધિકારીઓ સાથે ચર્ચા કરી. આરએસએસ વિસ્તારના પ્રચારક નિમ્બરમ સાથે પરામર્શ કર્યો. ગુરુવારે જાહેર થયેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં રાજસ્થાનમાં ભાજપ સરકાર બનાવતી દેખાઈ રહી છે, પરંતુ કેટલાક એક્ઝિટ પોલમાં કોંગ્રેસ પણ આગળ છે. આરએસએસના અધિકારીઓને મળ્યા બાદ વસુંધરા રાજે રાજ્યપાલ કલરાજ મિશ્રાને મળવા રાજભવન પહોંચ્યા હતા. આ પહેલા ગુરુવારે મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ રાજ્યપાલ કલરાજ મિશ્રાને મળવા પહોંચ્યા હતા.
જો રાજ્યમાં ભાજપની સરકાર બનશે તો ભાજપને મુખ્યમંત્રીના નામે ઘણો સંઘર્ષ કરવો પડશે, કારણ કે આ વખતે ભાજપે કોઈપણ મુખ્યમંત્રીના ચહેરા વગર ચૂંટણી લડી છે. આવી સ્થિતિમાં સીએમ પદ માટે ઘણા ઉમેદવારો છે. આ વખતે વસુંધરા રાજે માટે રસ્તો સરળ નથી. સીએમ માટે પ્રબળ દાવેદારો તરફથી મોટો પડકાર છે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે શેખાવત પીએમ મોદી અને અમિત શાહની નજીક છે. દિયા કુમારી હાલમાં રાજસમંદથી સાંસદ છે. પાર્ટીએ આ વખતે તેમને જયપુરની વિદ્યાધર નગર સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે. વસુંધરા રાજે ભાજપથી નારાજ નેતાઓને મનાવવાના પ્રયાસ પણ શરુ કરી દીધા છે. તેની ઝલક ચૂંટણી પ્રચાર દરમિયાન પણ જોવા મળી હતી. તેમના સમર્થક ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો, પરંતુ તેમના સમર્થકો બળવાખોર મેદાનમાં હતા.તે સ્થળોએ તેમના પક્ષના ઉમેદવારો માટે પ્રચાર કરવા ગયા ન હતા. આ વિરોધ પક્ષના હાઇકમાંડના નિર્દેશથી તેઓ નાના પક્ષો, અપક્ષનાં સંપર્કમાં છે.

Continue Reading

Trending